કોઈના વિષે દોષરોપણ કરતા પહેલા ખાસ
વિચારજો ...
એક યુવાનને પોતાના પડોશમાં રહેતા એક ભાઇ સાથે
કોઇ બાબતે બોલાચાલી થઇ. આ યુવાન પેલા ભાઇને
હવે પોતાના દુશ્મનની નજરથી જ જોતો હતો અને
હંમેશા કોઇ એવી તકની રાહ જોતો કે જેનો લાભ લઇને
એ ભાઇને સમાજમાં ઉતારી પાડી શકાય. એકવખત એને
કોઇએ એની પડોશમાં રહેતા આ ભાઇના ચારિત્ર્ય
વિષે વાત કરી અને કોઇપણ જાતની તપાસ વગર આ
યુવાને પોતાના પડોશી ચારિત્ર્યહિન છે એ વાત
વાયુવેગે બધે જ પ્રસરાવી દીધી.
પડોશી ભાઇની કોઇ સામાન્ય બાબતમાં ધડપકડ
થયેલી હતી અને હવે તો ન્યાયાલય દ્વારા એને
નિર્દોષ સાબિત પણ કરી દેવામાં આવ્યા. એ ભાઇ
જ્યારે ઘેર આવ્યા ત્યારે આ પડોશીએ
એની ઇજ્જતના કાંકરા કરી નાખ્યા હતા આથી બધા લોકો આ
નિર્દોષ માણસને પણ ગુનેગારની દ્રષ્ટિએ
જોવા લાગ્યા. આ ભાઇએ ખોટી અફવાઓ ફેલાવીને
પોતાને બદનામ કરનાર યુવાન પર
ન્યાયાલયમાં માનહાનિનો દાવો દાખલ કર્યો.
આ બાબતનો કેઇસ ચાલ્યો ત્યારે ન્યાયધિશે યુવાનને
પુછ્યુ , “ ભાઇ, તમે આ ભાઇના ચારિત્ર્ય વિષે
ખોટી અફવાઓ ઉડાડી હતી એ વાત સાચી છે ? “
યુવાને કહ્યુ , “ હા , જજ સાહેબ વાત સાચી છે પણ
એમા મારો કોઇ વાંક નથી મેં તો માત્ર જે વાત
સાંભળી હતી એ જ વાત બધે કરી હતી.
સમાજમાં એની પ્રતિષ્ઠા ખરડાઇ હોય તો એ માટે કંઇ
હું જવાબદાર નથી.”
ન્યાયધિશે આ યુવાનને એક કાગળ આપીને કહ્યુ કે તે જે કંઇ
પણ વાત આ મહાશય વિષે સાંભળી હતી તે આ
કાગળમાં લખ. પેલા યુવાને કાગળમાં લખાણ કર્યુ એટલે
જજ સાહેબે એ
લખાણવાળા કાગળના નાના નાના ટુકડાઓ કરીને
પછી યુવાનને પાછા આપતા કહ્યુ , “ આ
કેઇસનો ચુકાદો હું કાલે આપીશ પણ આજે જ્યારે તમે
તમારા ઘેર જાવ ત્યારે રસ્તામાં થોડા થોડા અંતરે આ
કાગળના ટુકડાઓ મુકતા જતો.”
બીજા દિવસે જ્યારે કોર્ટની કાર્યવાહી શરુ થઇ ત્યારે
જજ સાહેબે પેલા યુવાનને કહ્યુ , “ ભાઇ મેં કાલે તમને
કાગળના ટુકડાઓ
આપ્યા હતા રસ્તામાં જુદી જુદી જગ્યાએ મુકવા માટે
એ ટુકડાઓ મને પાછા લાવી આપોને મારે
ચુકાદો આપવા માટે એની જરુર છે.” યુવાન આ વાત
સાંભળીને હસવા લાગ્યો અને જજને કહ્યુ , “ સાહેબ આપ
પણ કેવી ગાંડા જેવી વાત કરો છો એ
કાગળના ટુકડા તો અત્યાર સુધીમાં કયાંયના ક્યાંય
જતા રહ્યા હશે. પવન ન જાણે એને ક્યાં ક્યાં લઇ
ગયો હશે ! એ પાછા લાવવા શક્ય જ નથી.”
.. મિત્રો , આપણે ઘણી વખત
વાતની સચ્ચાઇની ખાત્રી કર્યા વગર કોઇના વિષે
કોઇ પ્રકારનો દોષરોપણ કરીએ છીએ અરે ઘણીવાર
તો સાવ મજાકમાં કોઇના વિષે અમુક
પ્રકારની વાતો કરીએ છીએ ત્યારે એ વિચારતા જ
નથી કે આપણી આ વાતો ઉડીને ન જાણે
ક્યાંની ક્યાં પહોંચશે અને પેલા માણસને કેટલું મોટું
નુકશાન કરશે. હવે પછી કોઇના વિષે ખરાબ
બોલતા પહેલા સાડી સતર વાર વિચાર કરજો...
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
વિચારજો ...
એક યુવાનને પોતાના પડોશમાં રહેતા એક ભાઇ સાથે
કોઇ બાબતે બોલાચાલી થઇ. આ યુવાન પેલા ભાઇને
હવે પોતાના દુશ્મનની નજરથી જ જોતો હતો અને
હંમેશા કોઇ એવી તકની રાહ જોતો કે જેનો લાભ લઇને
એ ભાઇને સમાજમાં ઉતારી પાડી શકાય. એકવખત એને
કોઇએ એની પડોશમાં રહેતા આ ભાઇના ચારિત્ર્ય
વિષે વાત કરી અને કોઇપણ જાતની તપાસ વગર આ
યુવાને પોતાના પડોશી ચારિત્ર્યહિન છે એ વાત
વાયુવેગે બધે જ પ્રસરાવી દીધી.
પડોશી ભાઇની કોઇ સામાન્ય બાબતમાં ધડપકડ
થયેલી હતી અને હવે તો ન્યાયાલય દ્વારા એને
નિર્દોષ સાબિત પણ કરી દેવામાં આવ્યા. એ ભાઇ
જ્યારે ઘેર આવ્યા ત્યારે આ પડોશીએ
એની ઇજ્જતના કાંકરા કરી નાખ્યા હતા આથી બધા લોકો આ
નિર્દોષ માણસને પણ ગુનેગારની દ્રષ્ટિએ
જોવા લાગ્યા. આ ભાઇએ ખોટી અફવાઓ ફેલાવીને
પોતાને બદનામ કરનાર યુવાન પર
ન્યાયાલયમાં માનહાનિનો દાવો દાખલ કર્યો.
આ બાબતનો કેઇસ ચાલ્યો ત્યારે ન્યાયધિશે યુવાનને
પુછ્યુ , “ ભાઇ, તમે આ ભાઇના ચારિત્ર્ય વિષે
ખોટી અફવાઓ ઉડાડી હતી એ વાત સાચી છે ? “
યુવાને કહ્યુ , “ હા , જજ સાહેબ વાત સાચી છે પણ
એમા મારો કોઇ વાંક નથી મેં તો માત્ર જે વાત
સાંભળી હતી એ જ વાત બધે કરી હતી.
સમાજમાં એની પ્રતિષ્ઠા ખરડાઇ હોય તો એ માટે કંઇ
હું જવાબદાર નથી.”
ન્યાયધિશે આ યુવાનને એક કાગળ આપીને કહ્યુ કે તે જે કંઇ
પણ વાત આ મહાશય વિષે સાંભળી હતી તે આ
કાગળમાં લખ. પેલા યુવાને કાગળમાં લખાણ કર્યુ એટલે
જજ સાહેબે એ
લખાણવાળા કાગળના નાના નાના ટુકડાઓ કરીને
પછી યુવાનને પાછા આપતા કહ્યુ , “ આ
કેઇસનો ચુકાદો હું કાલે આપીશ પણ આજે જ્યારે તમે
તમારા ઘેર જાવ ત્યારે રસ્તામાં થોડા થોડા અંતરે આ
કાગળના ટુકડાઓ મુકતા જતો.”
બીજા દિવસે જ્યારે કોર્ટની કાર્યવાહી શરુ થઇ ત્યારે
જજ સાહેબે પેલા યુવાનને કહ્યુ , “ ભાઇ મેં કાલે તમને
કાગળના ટુકડાઓ
આપ્યા હતા રસ્તામાં જુદી જુદી જગ્યાએ મુકવા માટે
એ ટુકડાઓ મને પાછા લાવી આપોને મારે
ચુકાદો આપવા માટે એની જરુર છે.” યુવાન આ વાત
સાંભળીને હસવા લાગ્યો અને જજને કહ્યુ , “ સાહેબ આપ
પણ કેવી ગાંડા જેવી વાત કરો છો એ
કાગળના ટુકડા તો અત્યાર સુધીમાં કયાંયના ક્યાંય
જતા રહ્યા હશે. પવન ન જાણે એને ક્યાં ક્યાં લઇ
ગયો હશે ! એ પાછા લાવવા શક્ય જ નથી.”
.. મિત્રો , આપણે ઘણી વખત
વાતની સચ્ચાઇની ખાત્રી કર્યા વગર કોઇના વિષે
કોઇ પ્રકારનો દોષરોપણ કરીએ છીએ અરે ઘણીવાર
તો સાવ મજાકમાં કોઇના વિષે અમુક
પ્રકારની વાતો કરીએ છીએ ત્યારે એ વિચારતા જ
નથી કે આપણી આ વાતો ઉડીને ન જાણે
ક્યાંની ક્યાં પહોંચશે અને પેલા માણસને કેટલું મોટું
નુકશાન કરશે. હવે પછી કોઇના વિષે ખરાબ
બોલતા પહેલા સાડી સતર વાર વિચાર કરજો...
2200+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો