એક સુંદર સવારે એક માણસ હાથમાં કોફીનો કપ લઇને
દૈનિક સમાચારપત્ર વાંચી રહ્યો હતો. અચાનક એનુ
ધ્યાન શ્રધ્ધાંજલી વિભાગની એક શ્રધ્ધાંજલી નોંધ
પર ગયુ એ ચોંકી ઉઠ્યો કારણ કે નોંધમાં એનુ જ નામ
હતું. કોઇની ભુલથી જ નામ છપાયુ હશે કારણ કે એ
તો જીવતો હતો અને પોતાની જ મૃત્યુનોંધ
વાંચી રહ્યો હતો. એણે સમાચારપત્રના કાર્યાલય પર
ફોન કર્યો તો સામે જવાબદાર વ્યકતિએ ભુલ
સ્વિકારીને માફી માંગી.
આ માણસને થયુ કે હું આખી નોંધ વાંચુ જેથી મને ખબર પડે
કે મારા મૃત્યુ બાદ લોકો મને કેવી રીતે ઓળખે છે.
મૃત્યુનોંધમાં એના વિષે લખાયેલ હતુ કે “
મોતના સોદાગરની ધરતી પરથી વિદાય.” . આ
શબ્દો વાંચતાની સાથે જ એ માણસનું ચિત ચકરાવે
ચડ્યુ. ‘ શું દુનિયા મને મારા મૃત્યુ બાદ
મોતના સોદાગર તરિકે ઓળખશે? હું એવું બિલકુલ
નથી ઇચ્છતો કે મારા મૃત્યુ બાદ દુનિયા મને આ રીતે
ઓળખે. મારે દુનિયાને મારો પરિચય આવો નહી કંઇક
જુદો જ આપવો છે.’
પોતાની તમામ સંપતિ દાનમાં આપીને એક
ટ્રસ્ટની રચના કરી. દાનની બધી જ રકમમાંથી એક
ભંડોળ ઉભુ કર્યુ અને એ ભંડોળ
પરના વ્યાજની આવકમાંથી પ્રતિ વર્ષ વિશ્વનું
સૌથી મોટુ ઇનામ આપવાની વ્યવસ્થા કરાવી. જગત
માટે કંઇક કરનાર વિવિધ ક્ષેત્રના લોકોને આ ઇનામ
આપવાની શરુઆત થઇ જેના પરિણામે એ
માણસની ખરેખર વિદાય થયા પછી દુનિયા એને
મોતના સોદાગર તરિકે નહી પરંતું નોબેલ પ્રાઇઝ
ના સ્થાપક તરિકે ઓળખે છે.
આ માણસ હતો , ડાઇનામાઇટની શોધ કરનાર આલ્ફ્રેડ
નોબેલ છે.
જો ખરેખર આપણે જીવતા હોઇએ
તો અંતરદ્રષ્ટી કરવી અને વિચારવું કે મારા દ્વારા જે
કાર્ય થઇ રહ્યા છે એ કાર્યને કારણે લોકો મને
મારી વિદાય બાદ કેવી રીતે ઓળખશે ? જવાબ ન ગમે
તેવો હોઇ તો કામ બદલવા અને ગમે તેવો હોય
તો કામને વિસ્તારવું....!!
2800+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો Gujarat nu Gaurav By Nandani Vijay
POST ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે..)
દૈનિક સમાચારપત્ર વાંચી રહ્યો હતો. અચાનક એનુ
ધ્યાન શ્રધ્ધાંજલી વિભાગની એક શ્રધ્ધાંજલી નોંધ
પર ગયુ એ ચોંકી ઉઠ્યો કારણ કે નોંધમાં એનુ જ નામ
હતું. કોઇની ભુલથી જ નામ છપાયુ હશે કારણ કે એ
તો જીવતો હતો અને પોતાની જ મૃત્યુનોંધ
વાંચી રહ્યો હતો. એણે સમાચારપત્રના કાર્યાલય પર
ફોન કર્યો તો સામે જવાબદાર વ્યકતિએ ભુલ
સ્વિકારીને માફી માંગી.
આ માણસને થયુ કે હું આખી નોંધ વાંચુ જેથી મને ખબર પડે
કે મારા મૃત્યુ બાદ લોકો મને કેવી રીતે ઓળખે છે.
મૃત્યુનોંધમાં એના વિષે લખાયેલ હતુ કે “
મોતના સોદાગરની ધરતી પરથી વિદાય.” . આ
શબ્દો વાંચતાની સાથે જ એ માણસનું ચિત ચકરાવે
ચડ્યુ. ‘ શું દુનિયા મને મારા મૃત્યુ બાદ
મોતના સોદાગર તરિકે ઓળખશે? હું એવું બિલકુલ
નથી ઇચ્છતો કે મારા મૃત્યુ બાદ દુનિયા મને આ રીતે
ઓળખે. મારે દુનિયાને મારો પરિચય આવો નહી કંઇક
જુદો જ આપવો છે.’
પોતાની તમામ સંપતિ દાનમાં આપીને એક
ટ્રસ્ટની રચના કરી. દાનની બધી જ રકમમાંથી એક
ભંડોળ ઉભુ કર્યુ અને એ ભંડોળ
પરના વ્યાજની આવકમાંથી પ્રતિ વર્ષ વિશ્વનું
સૌથી મોટુ ઇનામ આપવાની વ્યવસ્થા કરાવી. જગત
માટે કંઇક કરનાર વિવિધ ક્ષેત્રના લોકોને આ ઇનામ
આપવાની શરુઆત થઇ જેના પરિણામે એ
માણસની ખરેખર વિદાય થયા પછી દુનિયા એને
મોતના સોદાગર તરિકે નહી પરંતું નોબેલ પ્રાઇઝ
ના સ્થાપક તરિકે ઓળખે છે.
આ માણસ હતો , ડાઇનામાઇટની શોધ કરનાર આલ્ફ્રેડ
નોબેલ છે.
જો ખરેખર આપણે જીવતા હોઇએ
તો અંતરદ્રષ્ટી કરવી અને વિચારવું કે મારા દ્વારા જે
કાર્ય થઇ રહ્યા છે એ કાર્યને કારણે લોકો મને
મારી વિદાય બાદ કેવી રીતે ઓળખશે ? જવાબ ન ગમે
તેવો હોઇ તો કામ બદલવા અને ગમે તેવો હોય
તો કામને વિસ્તારવું....!!
2800+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો Gujarat nu Gaurav By Nandani Vijay
POST ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
(આપના પ્રતિભાવો આવકાર્ય છે..)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો