visiter

સોમવાર, 24 જૂન, 2013

કેદારધામ

ઉત્તરાંચલના એક નાનકડા ગામે વડોદરાવાસીઓને ગદગદ કરી દીધા,...
[તમે ઘરે પહોંચો એટલે અમને ફોન કરી દેજો,અમને અમારુ વળતર મળી જશે]**

>>વડોદરાથી કેદારધામ ગયેલા અને પૂર અને વરસાદની તબાહીને નજરે જોનાર વાઘોડીયા રોડનો 9 સભ્યોનો પરિવાર પાછો ફર્યો હતો.આ પરિવારે આજે એક વાતચીતમાં કહ્યુ હતુ કે કેદારનાથ પાસે પહાડીઓ પર આવેલા ત્રીગુણી નારાયણ નામના ગામે અમારા જેવા 1000 યાત્રાળુઓને સાચવ્યા હતા.આ ગ્રામજનો ના હોત તો અમારુ શું થાત તે કલ્પના પણ અમે કરી શકતા નથી.
સીતાપુર ખાતે અમારે મધરાતે હોટલ ખાલી કરવી પડી હતી.એ બાદ અમે પહાડી પર ઉંચાઈવાળી જગ્યાએ આખી રાત એક નાનકડા રુમમા કાઢી હતી.બીજા દિવસે સવારે અમે વધુ ઉંચાઈએ આવેલા ત્રીગુણી નારાયણ ગામમાં જવા નીકળ્યા હતા.જંગલમાં કદાચ અમે ભુલા પડી ગયા હોત પરંતુ ગ્રામવાસીઓ જ અમરા જેવા પ્રવાસીઓને શોધવા નીકળ્યા હતા.તેઓ અમને ગામમાં રહી ગયા હતા અને રહેવા માટે સ્કૂલ ખોલી આપી હતી.એટલુ જ નહી ઘણા પ્રવાસીઓને તેમણે પોતાના ઘરમાં રાખ્યા હતા.
બે દિવસ સુધી અમને રાખ્યાનો એક પણ પૈસો તેમણે લીધો ન હતો.ઉલ્ટાનુ તેમણે અમને જમાડ્યા હતા.પાછા ફરતી વખતે જ્યારે અમે પૈસા આપવાની કોશીશ કરી ત્યારે તેમાંના એક આગેવાને પોતાનુ કાર્ડ આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે તમે સલામત પહોંચી જાવ તો આ નંબર પર ફોન કરીને અમને જાણ કરી દેજો.એ જ અમારુ સાચુ વળતર હશે.બાકી અમને કશુ જોઈતુ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો