visiter

ગુરુવાર, 26 ડિસેમ્બર, 2013

એક કુંભારને રસ્તામાં ચમકતો પથ્થર દેખાયો … તેજના ઝગારા મારતો પથ્થર એટલો આકર્ષક હતો કે એણે તે ઊંચકી લીધો . પહેલા વિચાર્યું કે છોકરાઓને રમવા આપીશ . પછી વિચાર્યું કે છોકરાઓ ક્યાંક ખોઈ નાખશે . પથ્થરને દોરીમાં પરોવી એણે પોતાના ગધેડાની ડોકે બાંધી દીધો . એ ગધેડાને લઈને જતો હતો ત્યાં જ સામેથી એક ઝવેરી નીકળ્યો . ગધેડાની ડોકમાં હીરો જોઈ એ આશ્ચર્યમાં પડી ગયો . કરોડ રૂપિયા આપતા ય ન મળે એવું એ રત્ન હતું પણ તેને ગધેડાની ડોકમાં બાંધનાર પેલા કુભારને એની કિમતનો ખ્યાલ ન હતો . ઝવેરીએ એની પાસે જઈને એને પૂછ્યું ; ‘ તારે આ પથ્થર વેચવાનો છે ? ‘ કુભારે હા પાડી અને આઠ આનામાં -પચાસ પૈસામાં પથ્થર આપી દેવાની તૈયારી બતાવી . ઝવેરીને લોભ જાગ્યો .તેણે કહ્યું : ‘આ પથરાના આઠ આના કોણ આપે ? ચાર આનામાં – પચીશ પૈસામાં આપવો હોય તો આપ ‘
કુભારે ના પાડી . ઝવેરીને થયું કે હું ચાલતો થઈશ એટલે એ મને પાછો બોલાવશે અને ચાર આનામાં નહિ તો છ આનામાં – સાઇઠ પૈસામાં તો હીરો આપી દેશે . એ થોડું ચાલ્યો . છતાંય કુંભારે બૂમ ન પાડી એટલે એ પાછો ફર્યો . જોયું તો ગધેડાની ડોકમાંથી હીરો ગૂમ થઇ ગયો હતો .કુંભારે કહ્યુકે બીજો કોઈ ઝવેરી આઠ આનાને બદલે રૂપિયો આપીને તે લઇ ગયો . ઝવેરી આકળવિકળ થઇ ગયો અને કહ્યું ; ‘તું મૂરખ છે . કરોડ રૂપિયાની ચીજ તે એક રૂપિયામાં વેચી દીધી ! ‘ કુંભારે કહ્યું : ‘ હું તો કુંભાર છું … મને કિંમતની ખબર નહોતી એટલે હું તો ફાયદામાં જ રહ્યો . મને તો આઠ આનાને બદલે રૂપિયો મળ્યો . પરંતુ તે ઝવેરી થઈને ચાર આનાને ખાતર કરોડ રૂપિયા જતાં કર્યા તેનું મને આશ્ચર્ય થાય છે ! ‘
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
1900+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
સદા કાળ વહેતી રહેતી નદીને , દુર શું કે નજીક શું !

અંતિમ ધ્યેય એનું તો સમુદ્રે પહોંચી એમાં ભળી જવાનું !

સમુદ્રમાં ભળતા પહેલાં એના કિનારે હરીયાળો પાક ઉગાડી

લોકોને પોષણ અને આનંદ આપવાનો પણ આનંદ કેટલો !

નદીની જેમ મનુષ્ય જીવનમાં પણ સૌને માટે ,

મંઝીલ લાંબી હો યા ટૂંકી, એ કાપવી જ પડે છે

પગમાં જોર અને હૈયામાં હામ ધરી

કેમ ન ચાલવું અંતિમ ધ્યેય તરફ પ્રેમથી

આગળ વધતાં માર્ગમાં પ્રેમ અને આનંદ વહેંચતા

અંતે ભળી જવું પ્રભુના એ દિવ્ય મહાસાગરમાં !
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
2000+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

શ્રીકૃષ્ણની પૂજા રાધાજી સાથે કેમ થાય છે?



રાધાનો પ્રેમ એટલો ગાઢ અને મહાન હતો કે તેમણે પોતાનું સર્વસ્વ શ્રીકૃષ્ણ પર ન્યોછાવર કરી દીધું અને પોતાના મનને સંપૂર્ણપણે શ્રીકૃષ્ણનાં ચરણોમાં લગાવી દીધું

આમ તો બધા જ સંબંધોનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે. બધાના પોતાના અલગ-અલગ કર્તવ્ય અને અધિકાર હોય છે. જન્મ સાથે જોડાયેલા સંબંધો સિવાય પણ એક મહત્ત્વનો સંબંધ છે, જેને પ્રેમસંબંધ તરીકે ઓળખવામાં આવે છે.

કોઈની પણ સાથે નિઃસ્વાર્થ પ્રેમનો સંબંધ હંમેશાં પૂજનીય છે એવો સંદેશ શ્રીકૃષ્ણે આપ્યો છે. શ્રીકૃષ્ણ અને રાધાજી એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે નિઃસ્વાર્થ પ્રેમ દરેક સંબંધોથી વધારે પવિત્ર અને મહાન છે. આ જ કારણસર શ્રીકૃષ્ણની સાથે રાધાજીની પૂજા કરવામાં આવે છે.

સંબંધોમાં માતા-પિતા અને ગુરુનું સ્થાન ઈશ્વર સમાન જણાવવામાં આવ્યું છે અને આ લોકો હંમેશાં આદર અને માન-સન્માન મેળવવાના અધિકારી પણ છે. તેમનો અનાદર કરનારા લોકો પર ભગવાન ક્યારેય પ્રસન્ન થતાં નથી. ભગવાન વિષ્ણુએ જ્યારે જ્યારે પણ અવતાર ધારણ કર્યો છે ત્યારે ત્યારે તેમણે માતા-પિતા અને ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ રાખવાનો સંદેશ આપ્યો છે. કોઈ પણ વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધીમાં અસંખ્ય લોકોના સંપર્કમાં આવે છે. કેટલાક વિશેષ લોકો પ્રત્યે તેને સ્નેહ હોય છે, કેટલાક મિત્ર બની જાય છે. આવો જ પ્રેમ રાધાજી અને શ્રીકૃષ્ણ વચ્ચે હતો. તેમને એકબીજા પ્રત્યે અસીમ પ્રેમ હતો. તેમના પ્રેમમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ કે અપેક્ષા નહોતી.

ગોકુળમાં એવી કોઈ ગોપી નહોતી કે જેને શ્રીકૃષ્ણ સાથે પ્રેમ ન હોય. દરેક ગોપીનો પ્રેમ પવિત્ર અને ભક્તિપૂર્ણ હતો. બધી જ ગોપી શ્રીકૃષ્ણને પોતાના પ્રિયતમના રૂપમાં જ જોતી હતી અને શ્રીકૃષ્ણ પણ બધાને એવો જ સ્નેહ આપતા હતા. આ બધી જ ગોપીઓમાં રાધાનું સ્થાન સર્વોચ્ચ હતું.

રાધાનો પ્રેમ એટલો ગાઢ અને મહાન હતો કે તેમણે પોતાનું સર્વસ્વ શ્રીકૃષ્ણ પર ન્યોછાવર કરી દીધું અને પોતાના મનને સંપૂર્ણપણે શ્રીકૃષ્ણનાં ચરણોમાં લગાવી દીધું. શ્રીકૃષ્ણ પણ રાધાજીના પ્રેમમાં સંપૂર્ણ રંગાઈ ગયા હતા. શ્રીકૃષ્ણ અને રાધાજીનો ગાઢ પ્રેમ દર્શાવતા ઘણાં પ્રસંગો આપણા ગ્રંથોમાં આપવામાં આવ્યા છે. તેમાંથી એક પ્રસંગ આ પ્રમાણે છે.

રાધાજીએ શ્રીકૃષ્ણને પૂછયું, "હે કૃષ્ણ! તમે મને પ્રેમ કરો છો, પરંતુ તમે મારી સાથે વિવાહ નથી કર્યા, આવું કેમ? હું એ વાત સારી રીતે જાણું છું કે તમે સાક્ષાત્ ભગવાન જ છો અને તમે કંઈ પણ કરી શકો છો. તમે ઇચ્છો તો ભાગ્યના લેખ બદલવા પણ સક્ષમ છો, છતાં પણ તમે રુક્મિણી સાથે વિવાહ કર્યા, મારી સાથે નહીં."

રાધાજીની આ વાત સાંભળીને શ્રીકૃષ્ણે ઉત્તર આપ્યો, "હે રાધે! વિવાહ બે લોકો વચ્ચે થાય છે. વિવાહ માટે બે અલગ-અલગ વ્યક્તિઓની જરૂર હોય છે. તું મને એ કહે કે રાધા અને કૃષ્ણમાં બીજી વ્યક્તિ કોણ છે. આપણે બંને તો એક જ છીએ, તો પછી આપણા વિવાહની શું આવશ્યકતા છે. નિઃસ્વાર્થ પ્રેમ વિવાહનાં બંધન કરતાં પણ વધારે મહાન અને પવિત્ર હોય છે."

આ જ કારણસર રાધાકૃષ્ણ નિઃસ્વાર્થ પ્રેમની પ્રતિમૂર્તિ અને હંમેશાં પૂજનીય છે, તેથી જ રાધાકૃષ્ણનું નામ જોડે લેવાય છે અને તેમનું સાથે પૂજન થાય છે.
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
2000+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
ખરી વાત છે. માતા-પિતા ક્યાંય જતાં નથી. મૃત્યુ માતા-પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ તોડી શકતું નથી. એમની શાંત અને સુખદ હાજરી સતત વર્તાતી રહે છે. જાણે કે તેઓ અહીં જ છે આપણું રક્ષણ કરવા, આપણું કોઈ અહિત ન કરી જાય એનું ધ્યાન રાખવા. આપણે સાચો નિર્ણય લેતા હોઈએ ત્યારે તેમની મૌન સહમતી અનુભવી શકાય છે. ખોટી દિશામાં વિચારી રહ્યા હોઈએ ત્યારે એમનો નકાર સાંભળી શકાય છે. ક્યારેક ગિલ્ટ સપાટી પર આવી જાય છે. આ બધી મીઠાશ, આ મધુરતા મા-બાપ હયાત હતાં ત્યારે કેમ વ્યક્ત થતી નહોતી? સદેહે જીવતાં હતાં ત્યારે કેમ તેમના પ્રત્યે કઠોર બની જવાતું હતું? એવા તો કયાં મહાન કામ કરીને ઊંધા પડી ગયા હતા કે એમને સમય આપી શકતા નહોતા? ખબર હતી કે એમની અવગણના થઈ રહી છે તો પણ ખુદની લાઇફસ્ટાઇલમાં ફર્ક લાવવાની તસદી કેમ લેતા નહોતા?

મા-બાપ ક્યાંય જતાં નથી એ વાત અનુભૂતિના સ્તરે બરાબર છે, પણ નક્કર સચ્ચાઈ એ છે કે મા-બાપ જતાં રહે છે. મા-બાપ અમર હોતાં નથી. એક દિવસ એ મૃત્યુ જરૂર પામે છે. પૂરું જીવન જીવીને અથવા સાવ અચાનક, અણધાર્યાં. લાકડાંની ચિતા પર શરીર ભડભડ બળી ગયા પછી અસ્થિ લઈને ઘરે પાછા આવીએ ત્યાર પછી તીવ્રતાથી અહેસાસ થાય છે કે કશુંક અધૂરું રહી ગયું છે. કેટલાય છેડા હવામાં અધ્ધર લટકતા રહી ગયા છે. મા-બાપને કશુંય આપવાની સંતાનની હેસિયત ક્યારેય હોતી જ નથી. પોતાના જન્મદાતાને આપણે એક જ વસ્તુ આપી શકતા હોઈએ છીએ – સમય. એટેન્શન. મા-બાપ એ જ ઝંખતાં હોય છે સંતાન પાસેથી. માતા-પિતાને લાડ લડાવવા હતા. એમનો દુર્બળ થઈ ગયેલો હાથ પકડીને હિલ-સ્ટેશન પર ફરવું હતું. ગમ્યું હોત એમને. ખૂબ ગમ્યું હોત. કેમ આ બધું કર્યું નહીં તેઓ જીવતાં હતાં ત્યારે?

મા-બાપ સાથે એક જ ઘરમાં રહેતાં હો તો અલગ વાત છે, પણ ધારો કે તમે જુદાં ઘરોમાં, જુદાં શહેરોમાં રહો છો. બે-ચાર-પાંચ-છ મહિને એક વાર મમ્મી-પપ્પાને મળી આવો છો અથવા તેઓ તમારે ત્યાં આંટો મારી જાય છે. કદી વિચાર્યું છે કે તેઓ મૃત્યુ પામશે તે પહેલાં કેટલી વખત પ્રત્યક્ષ મળવાનું થશે? પ્રશ્ન અસ્થિર કરી મૂકે તેવો છે.
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
2000+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

"ચાન્સ" !

ડૉ. આઈ. કે. વીજળીવાળા નાં પુસ્તક 'શબ્દની સુગંધ'(મોતીચારો ભાગ – 7)માંથી એક વાર્તા

"ચાન્સ" ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો.

એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.

એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું. એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ, તું શું કહે છે ?’

આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રોઈંગરૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું.

‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’

‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું.

‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું.

‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી.

‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો.

યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.

રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! એની બધી ભૂલોને એ માફ કરી દેશે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું.

ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ.

બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’

પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !

આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ?
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
2000+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

બુધવાર, 4 ડિસેમ્બર, 2013

"ભાઈ-ભાઈ"


********
કોલેજ ના એક છોકરાને પ્રોફેસરે કાયદા ના વિષય
માં નાપાસ કર્યો .
છોકરો ગયો પ્રોફેસર ના ઘરે .
છોકરો - સર , તમે કાયદા વિષે બધું જ જાણો છો ?
સર - હા .
છોકરો - હું તમને એક સવાલ પૂછું ,
જો તમે સાચો જવાબ આપશો તો તમે મને ફેઈલ
કર્યો તેમાં કોઈ વાંધો નહિ રહે , પણ જો તમે
સાચો જવાબ ના આપી શક્યા તો તમારે મને A ગ્રેડ
સાથે પાસ કરવો પડશે .
પ્રોફેસર માની ગયા - બોલ સવાલ .
છોકરો - આ ત્રણ નું એક ઉદાહરણ આપો . પહેલું
એવું શું છે કે જે કાયદેસર છે પણ લોજીકલી યોગ્ય
નથી , બીજું લોજીકલી યોગ્ય છે પણ કાયદેસર
નથી અને ત્રીજું કાયદેસર પણ નથી અને
લોજીકલી પણ નથી .
પ્રોફેસર ઘણું મથ્યા પણ જવાબ આવડ્યો નહિ અને
છોકરા ને A ગ્રેડ સાથે પાસ કરવો પડ્યો .
બીજા દિવસે પ્રોફેસરે ક્લાસ માં આ સવાલ છોકરાવ
ને પૂછ્યો .
બધા છોકરાવે હાથ ઉચો કર્યો , પ્રોફેસર
તો આશ્ર્ય્ચકિત થય ગયા .
એક છોકરા ને ઉભો કર્યો અને કીધું બોલ જવાબ -
છોકરો - સર તમારી ઉમર 60 છે પણ લગન 25
વર્ષ ની છોકરી સાથે કર્યા છે આ છે તો કાયદેસર
પણ લોજીકલી યોગ્ય નથી .
બીજું , તમારી પત્ની ને 23 વર્ષ નો એક
બોયફ્રેન્ડ છે આ કાયદેસર નથી પણ
લોજીકલી યોગ્ય છે ,
અને ત્રીજું , તમારી પત્ની નો બોયફ્રેન્ડ
પરીક્ષામાં માં નાપાસ થયો હોવા છતાં તમે તેને A
ગ્રેડ આપ્યો ,આ કાયદેસર પણ નથી અને
લોજીકલી યોગ્ય પણ નથી .
જોક્સ પસંદ આવતો લાઈક કરીને
કોમેન્ટ્સમાં "ભાઈ-ભાઈ"
એવું જરૂરથી લખજો
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

અમુલ્ય મિલ્કત


***********
એક ભીખારી વર્ષોથી એક ચોક્કસ જગ્યા પર બેસીને ભીખ માંગતો હતો. એકદિવસ આ ભીખારી પાસે એક સાવ અજાણ્યો માણસ આવ્યો. ભીખારીએ તો પોતાના સ્વભાવ પ્રમાણે ભીખ માંગવાનું શરુ કર્યુ. ખુબ કાલાવાલા કર્યા અને પોતાને મદદ કરવા માટે વિનંતી કરી. અજાણ્યા માણસે પુછ્યુ , “ તું કેટલા સમયથી આ ભીખ માંગવાનું કામ કરે છે ?” ભીખારીએ કહ્યુ , “ હું છેલ્લા 30 વર્ષથી આ કામ કરી રહ્યો છું. મારી પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી તો હું શું કરુ ?” પેલા અજાણ્યા માણસે વાત આગળ વધારતા કહ્યુ , “ તું 30 વર્ષથી આ જ જગ્યા પર બેસીને ભીખ માંગે છે ?” પ્રતિઉતરમાં ભીખારીએ કહ્યુ , “ હા શેઠ આ જગ્યા પર જ બેસીને ભીખ માંગું છું. છેલ્લા 30 વર્ષથી આ લાકડાના બોક્ષ પર બેસીને જ ભીખ માંગવાનું કામ કરુ છુ. આખો દિવસ ભીખ માંગું ત્યારે માંડ પેટનો ખાડો પુરાય છે અને ક્યારેક તો ભુખ્યા સુવાનો વારો પણ આવે છે.” અજાણ્યા માણસે પુછ્યુ , “ તું જે બોક્ષ પર 30 વર્ષથી બેઠો છે એ બોક્ષમાં શું છે એ ક્યારેય જોયુ છે તે ?” ભીખારીએ નકારમાં માથુ ધુણાવ્યુ એટલે આ અજાણ્યા માણસે એ બોક્ષને ખોલવા માટે ભીખારીને કહ્યુ. ભીખારીએ બોક્ષ ખોલ્યુ તો લાકડાનું આખુ બોક્ષ સોનાથી ભરેલુ હતું. ભીખારી તો આંખો ફાડીને જોઇ જ રહ્યો. આપણે બધા પણ આ ભીખારી જેવા જ છીએ અનેક ક્ષમતાઓ રૂપી સોનાથી ભરેલા બોક્ષ પર બેઠા છીએ અને ભીખ માંગવાનું કામ કરીએ છીએ. આપણને પોતાને જ ખબર નથી કે આપણી પાસે કેવી અમુલ્ય મિલ્કત પડી છે. જીવનમાં આવી કોઇ અજાણી વ્યક્તિ મળી જાય જે કંઇ આપે નહી પણ અંદર જોવાનું કહે અને આપણને માલામાલ કરી જાય.
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

મન શાંત રાખવાના સરળ ઊપાયો


************************
►(01) તમારી જાતને સુધારો,પારકી પંચાત કરવી નહી.

►(02) કડવા ઘૂંટડા ગળી જવા, ઇર્ષા કરવી નહી.

►(03) દેખા દેખીથી દુર રહેવું, ખોટી લાલચમાં આવવું નહી.

►(04) વિચારીને બોલવું, શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું.

►(05) માગ્યા વિના કોઇને પણ સલાહ આપવી નહી.

►(06) તમારી સલાહને અનુસરે તેવી અપેક્ષા રાખશો નહી.

►(07) તમારી જરૂરીયાતો ઘટાડો,ઓછી જરૂરીયાતોમાં જીવતા શીખો.

►(08) કોઇની સાથે ખોટી દલીલબાજી કરવી નહી.

►(09) તમારા કોઇ ખોટા વખાણ કરે તેવી અપેક્ષા રાખશો નહી.

►(10) વર્તમાનમાં જીવો, ભવિષ્યની ખોટી ચિંતા કરવી નહી.

►(11) વિકટ પરિસ્થિતિમાં શાંત રહેવું.

►(12) વિચાર,વાણી,વર્તનમાં એક રૂપતા રાખો.

►(13) સહન શીલતા કેળવો.

►(14) તમારી ફરજ પ્રત્યે સભાન રહો.

►(15) દરેક જીવોને નિ:સ્વાર્થ પ્રેમ કરો

►(16)ઓછા સમ્બન્ધ રાખો,
પણ ૧૦૦ કેરટ સોના ના સમ્બન્ધ રાખો.

पुरी में जगन्नाथ मंदिर के 8 अजूबे इस प्रकार है।


.
1.मन्दिर के ऊपर झंडा हमेशा हवा के विपरीत
दिशा में लहराते हुए।
.
2.पुरी में किसी भी जगह से आप मन्दिर के ऊपर लगे
सुदर्शन चक्र को देखेगे तो वह आपको सामने
ही लगा दिखेगा।
.
3.सामान्य दिन के समय हवा समुद्र से जमीन
की तरफ आती है, और शाम के दौरान इसके विपरीत,
लेकिन पूरी में इसका उल्टा होता है.
.
4.पक्षी या विमानों मंदिर के ऊपर उड़ते हुए
नहीं पायेगें।
.
5.मुख्य गुंबद की छाया दिन के किसी भी समय
अदृश्य है.
.
6.मंदिर के अंदर पकाने के लिए भोजन की मात्रा पूरे
वर्ष के लिए रहती है। प्रसाद की एक
भी मात्रा कभी भी यह व्यर्थ नहीं जाएगी, चाहे कुछ
हजार लोगों से 20 लाख लोगों को खिला सकते हैं.
.
7. मंदिर में रसोई (प्रसाद)पकाने के लिए 7 बर्तन
एक दूसरे पर रखा जाता है और लकड़ी पर
पकाया जाता है. इस प्रक्रिया में शीर्ष बर्तन में
सामग्री पहले पकती है फिर क्रमश: नीचे की तरफ
एक के बाद एक पकते जाती है।
.
8.मन्दिर के सिंहद्वार में पहला कदम प्रवेश करने पर
(मंदिर के अंदर से) आप सागर द्वारा निर्मित
किसी भी ध्वनि नहीं सुन सकते. आप (मंदिर के बाहर
से) एक ही कदम को पार करें जब आप इसे सुन सकते
हैं. इसे शाम को स्पष्ट रूप से देखा जा सकता है।
.
.
साथ में यह भी जाने:-
मन्दिर का रसोई घर दुनिया का सबसे बड़ा रसोइ घर
है।
.
प्रति दिन सांयकाल मन्दिर के ऊपर
लगी ध्वजा को मानव द्वारा उल्टा चढ़ कर
बदला जाता है।
.
मन्दिर का क्षेत्रफल चार लाख वर्ग फिट में है।
मन्दिर की ऊंचाई 214 फिट है।
विशाल रसोई घर में भगवान जगन्नाथ को चढ़ाने वाले
महाप्रसाद को बनाने 500 रसोईये एवं 300 उनके
सहयोगी काम करते है।
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

નિયમિત રીતે સદકર્મ કરવાની રોજ શક્તિ માગીએ



                  એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ 10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો.એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો.ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો.માલિકને મજુર સાથે વાત કરવાની ઇચ્છા થઇ.માલિકે ઉપરથી મજુરને બુમ પાડી પણ મજુર કામમાં વ્યસ્ત હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને માલિકનો અવાજ ન સંભળાયો.

                    થોડીવાર પછી મજુરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10 રૂપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજુર કામ કરતો હતો ત્યાં જ પડ્યો. મજુરે તો સિક્કો ઉઠાવીને ખીસ્સામાં મુકયો અને કામે વળગી ગયો.માલિકે હવે 100ની નોટ નીચે ફેંકી. નોટ ઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી.મજુરની નજરમાં આ નોટ આવી એટલે લઇને ફરીથી ખિસ્સામાં મુકી દીધી અને કામ કરવા લાગ્યો.માલિકે હવે 500ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે એમજ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું. માલિકે હવે હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજુર પર માર્યો.પથ્થર વાગ્યો એટલે મજુરે ઉપર જોયું અને પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ કરી.

              

                   મિત્રો, આપણે પણ આ મજુર જેવા જ છીએ.ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે એ આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું શરુ કરે છે પણ આપણે એ ખુશીઓને ખિસ્સામાં મુકી દઇએ છીએ ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો. છેવટે ભગવાન દુ:ખ રૂપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે અને તુંરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઇએ છીએ....કરગરી દયા અને મદદની ભીખ માંગ એ છીએ..એના બદલે નિયમિત રીતે સદકર્મ કરવાની રોજ શક્તિ માગીએ તો !!??

 1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

આજ નો ખાસ લેખ આજના યુવાન વર્ગ માટે


*******************************
પ્રેમ ની પરિભાષા એ આજ નો યુવાન વર્ગ નહિ સમજી શકે પ્રેમ શું છે એ આજના યુવાન વર્ગ ને ખબર જ નથી પડતી ઘણા એવા ઉદાહરણ પરથી એક તારણ નીકળ્યું....આજના યુવાન વર્ગ માટે પ્રેમ એ પાચ દિવસથી વધુ નથી હોતો...જીવન ભર સાથે રહીશું એવા વચન વાયદા ઓ માત્ર કહેવા પુરતા જ હોય છે એવું લાગે છે..સાથે જીવન જીવવા નાં અનેક સપના માત્ર નાનકડા ઝઘડા માં જ પુરા થઇ જાય અને પછી પ્રેમ એ દવા ની જગ્યા એ દર્દ બની જાય એ દર્દ પર કોઈ મલમ લગાવે તો આપણ ને એના થી પ્રેમ થઇ જાય સાલા આ તો કઈ રમત છે..!!.....ક્યાંક કોઈ પ્રેમ નો તિરસ્કાર કરે અને કોઈ ત્રીજી વ્યક્તિ એને સાંત્વના આપવાનું ચાલુ કરે એટલે જેતે વ્યક્તિ ને એની સાથે પ્રેમ થઇ જાય..પ્રેમ એ આજના યુવાન વર્ગ માટે જાણે એક રમત થઇ ગઈ છે....અને કદાચ એમાં મોટો દોષ એ આ સોશિયલ નેટવર્કિગ સાઈટ નો છે હજારો પ્રેમ રોજ થતા હશે અને હજારો પ્રેમ રોજ તુટતા હશે..ખરેખર એક વાક્ય સાચું છે “true love never dies” સાચો પ્રેમ એ કદી મરતો નથી..ક્યારેય નહિ...!!!!પણ દુનિયા માટે આજે પ્રેમ એ એક સ્ટેશન પર આવતી ટ્રેન રૂપ છે એક આવે છે જાય છે બીજી ટ્રેન આવશે...!!!બીજી ગઈ ત્રીજી ટ્રેન આવશે..!! આ પ્રેમ નથી..પ્રેમ માં ત્યાગ જેવી ભાવના રહેલી છે પણ આજના યુવાન વર્ગ ને આ વાત હાસ્યપદ લાગશે અને કહેશે આ માત્ર ચોપડી ઓ માં લખાયેલી વાતો છે..અને પછી હસવા લાગશે પણ સાચા પ્રેમ ને સમજે ત્યાં સુધી ક્યાંક કેટલુય મોડું થઇ ચુક્યું હોય છે...પ્રેમ એ બીજા વ્યક્તિ દ્વારા શીખવાડી શકાય એવો કોઈ વિષય નથી એ જાતે જ સમજી શકાય એવો વિષય છે...તમે આજુ બાજુ નજર નાંખશો તો આનું બ્રેક અપ આની સાથે થયું એવા અસખ્ય ઉદાહરણ જોવા મળશે...૧૦૦ લોકો પ્રેમ કરતા હશે કદાચ ૨ ૩ જ એમાં સાચા પ્રેમ હશે...બાકી બધા ખોટા અને બહુ થોડા સમય ચાલવા વાળા પ્રેમ સાચા પ્રેમ એ એવા પ્રેમ હોય છે કે જેમાં ભગવાન એ પણ નમવું પડે છે...!! પણ આજે બહુ ઓછા સાચા પ્રેમ જોવા મળે છે ક્યાંક કોઈ સાચા પ્રેમ ની કદર નથી કરતુ તો ક્યાંક કોઈ એને ઓળખી નથી શકતું..!!!આ દુનિયા જરા અજબ ગજબ થઇ ગઈ છે આ નિત નવા મુવી અને સીર્રીયલસ ને લીધે..!!સાચો પ્રેમ એ દવા છે દર્દ ના બનવા દેતા..!! સાચો પ્રેમ શક્તિ છે કોઈ ની અશક્તિ નાં બનવા દેતા..!!!જે પ્રેમ માં સચ્ચાઈ હોય સામે વાળા ની કદર હોય સામે વાળા ની તાકાત હોય ઉદારતા હોય અને વફાદારી હોય..!
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

કુભેશ્વરનાથ શિવલિંગનું રહસ્ય


**********************
મધ્યપ્રદેશના જબલપુરમાં રેવા નદીના તટ પર લમ્હેરી ગામમાં આવેલ કુભેશ્વર મહાદેવ મંદિરમાં બે શિવલિંગ છે. સ્વયંભૂ પ્રગટેલ આ બે શિવલિંગનું શિવાલય વિશ્વમાં એક માત્ર જ છે. આ શિવલિંગના પ્રાગટય પાછળ રામ, લક્ષ્મણ અને હનુમાનની પૌરાણિક કથા પણ જોડાયેલી છે
મધ્યપ્રદેશના જબલપુરમાં રેવા નદીના તટે પ્રકૃતિની ગોદમાં આવેલું કુભેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર પાછળ જોડાયેલ કથા મંદિરના માહાત્મ્યને અને શિવભક્તોની શ્રદ્ધાને વધારી દે છે.

શાસ્ત્રો અને પુરાણના મત પ્રમાણે એક જ થાળામાં બે શિવલિંગ હોવાનું અનોખું જ માહાત્મ્ય છે. એક પૌરાણિક કથા અનુસાર રામ-લક્ષ્મણ પહેલાં હનુમાનજીએ સ્વયં અહીં આવીને શિવજીની પૂજા-અર્ચના કરી હતી અને વનનું રક્ષણ કરીને પ્રકૃતિનું સંવર્ધન કર્યું હતું.

નર્મદા પુરાણ અને શિવ પુરાણ અનુસાર આ શિવલિંગ સ્વયંભૂ છે જે નર્મદા નદીમાંથી મળી આવ્યું હતું. રામાયણમાં જ્યારે સીતાજી ધરતીમાં સમાઈને સમાધિ લઇ લે છે ત્યારબાદ હનુમાનજી શ્રીરામ પાસે શિવજીનાં દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે શ્રીરામ ભગવાન તેમને કૈલાશ પર્વત પર જવાનું કહે છે. હનુમાનજી શિવદર્શનની અભિલાષા સાથે કૈલાશ પર્વત પર જાય છે, પરંતુ અહીં તેમને મહાદેવનાં દર્શન થતાં નથી. કૈલાશ પહોંચતાં જ નંદી હનુમાનજીને શિવજીનાં દર્શન કરતાં રોકે છે. નંદીનું આવું વર્તન જોઇને હનુમાનજી ખૂબ જ વિનમ્રતાથી પૂછે છે કે, "મારો શું દોષ છે. મેં એવાં કયાં પાપ કર્યાં છે કે તું મને શિવજીનાં દર્શનથી વંચિત રાખે છે?" ત્યારે નંદી તેમને ભૂતકાળમાં લઇ જઇને તેમણે કરેલાં કર્મની યાદ અપાવે છે. નંદી કહે છે કે, "હા, તમે એવાં પાપ કર્યાં છે કે જેના લીધે તમે શિવજીનાં દર્શનના અધિકારી નથી. તમે રાવણ કુળનો નાશ કર્યો છે. રાવણ બ્રાહ્મણ કુળનો હતો તેથી બ્રહ્મહત્યાનું પાપ પણ તમારા માથે છે અને જ્યારે તમે સીતાજીની શોધ માટે લંકા આવ્યા હતા ત્યારે અશોકવાટિકાને ઉજ્જળ કરીને પ્રકૃતિને પણ નુકસાન પહોંચાડયું હતું. તો આ બધાં જ પાપ ક્ષમ્ય નથી તેથી તમને શિવજીનાં દર્શનનો લાભ ન મળી શકે. નંદીની વાત સાંભળીને હનુમાનજી તો મૂંઝાઇ ગયા. તેમણે નંદીને પૂછયું કે, "મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે તો શું કરવું જોઇએ?" ત્યારે નંદી કહે છે કે, "તમે નર્મદા નદીને કિનારે આવેલ કુભેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીની સાધના કરો અને ત્યાં આવેલ વનનું સંરક્ષણ અને સંવર્ધન કરો. કુભેશ્વર મંદિરમાં સ્થાપિત શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે તેમાં શિવજીનો વાસ છે. મહાદેવ બહુ દયાળુ છે. તેમની આરાધના કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળી જશે અને આ શિવાલયમાં તમને શિવત્વની અનુભૂતિ થશે."

નંદીની આજ્ઞા પ્રમાણે પાપમાંથી મુક્તિ મેળવવા હનુમાનજીએ આ કુભેશ્વર શિવાલયમાં તપ કર્યું અને તેમણે સઘળી વાત શ્રીરામને પણ કહી સંભળાવી ત્યારે શ્રીરામને થયું કે આ બધાં જ પાપકર્મમાં તો હું પણ ભાગીદાર છું તો મારે પણ આ સ્થળે તપ કરવું જોઇએ. ત્યારબાદ શ્રીરામ લક્ષ્મણે પણ આ જ મંદિરમાં તપ કર્યું. શ્રીરામે લક્ષ્મણ સાથે અહીં શિવની આરાધના કરી હોવાથી આ મંદિર રામેશ્વર-લક્ષ્મણેશ્વરના નામે પણ ઓળખાય છે.
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

પ્રેમ.

અડ્યા વિના સ્પર્શ થાય તે પ્રેમ.
શબ્દ વિના વર્ણન થાય તે પ્રેમ.
અહેસાસ વિના લાગણી થાય તે પ્રેમ.
ઇન્તજાર મિલન માટે તરસે તે પ્રેમ.
જેના વિના એક પલ પણ અધુરી લાગે તે પ્રેમ
મધદરિયે પ્યાસ લાગે તે પ્રેમ.
પાનખર માં પણ વસંત ની યાદ આવે તે પ્રેમ
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

પ્રેમ અને ધિરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે છે.


*******************************************
જંગલી વિસ્તારમાં રહેતી એક સ્ત્રીને એના પતિ સાથે બહુ સારા સંબંધો નહોતા. એને હંમેશા એવુ લાગતુ કે એનો પતિ એને પ્રેમ કરતો નથી.

એક દિવસ જંગલમાં રહેતા એક સન્યાસી પાસે એ ગઇ અને સન્યાસીને કહ્યુ, “ મહારાજ , મારા પતિ મને પહેલા ખુબ સારી રીતે રાખતા પણ છેલ્લા કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો પ્રેમ નહિવત થઇ ગયો છે એ પથ્થર જેવા જડ બની ગયા છે. મેં આપના વિષે ખુબ સાંભળ્યું છે આપ એવી કોઇ ઝડીબુટ્ટી આપો કે મારા પતિનો પ્રેમ પુન: પ્રાપ્ત થાય અને હું એને વશમાં કરી શકુ.”

સન્યાસીએ બધી જ વાત સાંભળ્યા પછી કહ્યુ , “ બહેન હું આ માટે એક ખાસ દવા બનાવીને તને આપીશ પણ એ દવા બનાવવા માટે મારે વાઘની મુછનો વાળ જોઇએ બોલ તું એ લાવી શકીશ ?”

જંગલમાં રહીને જ મોટી થયેલી આ સ્ત્રી શુરવીર હતી એટલે એણે તુરંત જ હા પાડી દીધી. બીજા દિવસે એ વાઘની શોધમાં નિકળી પડી. એક ગુફા પાસે એણે વાઘ જોયો એટલે એ હરખાઇ કે ચાલો વાઘ મળી ગયો હવે એની મુછ પણ મળી જાશે. જેવી એ વાઘ તરફ આગળ વધી કે વાઘે ત્રાડ પાડી અને પેલી સ્ત્રી ગભરાઇને દુર ખસી ગઇ.

દુર ઉભા ઉભા એ વાઘને જોયા કરતી હતી પણ એની નજીક જવાની હિંમત ચાલતી નહોતી. એ રોજ પેલી ગુફા પાસે જવા લાગી. ક્યારેક એ વાઘ માટે માંસ પણ લઇ જાય અને દુર રાખી દે. સમય જતા બંનેને એકબીજાની હાજરી પસંદ પડવા લાગી. હવે સ્ત્રીનો ડર ઓછો થવા લાગ્યો. વાઘે પણ હવે તાડુકવાનું બંધ કરી દીધુ. એકદિવસ તો આ સ્ત્રી વાઘ પાસે પહોંચી જ ગઇ અને વાઘના શરિર પર હાથ ફેરવવા લાગી. વાઘ કંઇ ન બોલ્યો એટલે ધીમેથી એની મુછનો એક વાળ ખેંચી લીધો.

દોડતી દોડતી એ સન્યાસી પાસે ગઇ અને સન્યાસીના હાથમાં વાઘનો વાળ આપીને કહ્યુ , “ લ્યો મહારાજ આ વાઘનો વાળ અને હવે મારા પતિને વશ કરવાની ઝડીબુટ્ટી બનાવી આપો.” સન્યાસીએ વાળને અગ્નિમાં નાંખી દીધો. પેલી સ્ત્રી ગુસ્સામાં બોલી કે તમે આ શું કર્યુ ? હું મહામહેનતથી જે વાળ લાવી હતી એમાંથી ઝડીબુટ્ટી બનાવવાને બદલે તમે એને સળગાવી દીધો.”

સન્યાસીએ હસતા હસતા ઉતર આપ્યો , “ બહેન તને હજુ ના સમજાયુ. જો પ્રેમ અને ધિરજથી વાઘ જેવું હિંસક પ્રાણી પણ વશ થઇ જતું હોય તો પછી તારો પતિ તો માણસ છે.”

Moral: આપણે લોકોને વશ કરવા ઇચ્છિએ છીએ પણ એની સાચી રીત અપનાવી નથી અને એટલે લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. યાદ રાખજો પ્રેમ અને ધિરજ કઠણ કાળજાના માણસને પણ પીગળાવી દે છે.
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

પ્રાર્થના ચિઠ્ઠી


*સાંઈરામ દવેની એક હ્રદય સ્પર્શી રચના રજુ કરૂ છુ અચુક વાંચવા જેવી છે* 
** પ્રાર્થના ચિઠ્ઠી **
(એક શિક્ષકની વેદના, એક બાળકની કલમે)
પ્રતિ,
શ્રી ભગવાન, ઈશ્વરભાઈ પરમાત્મા,
(શંખચક્રવાળા)
સ્વર્ગલોક, નર્કની સામે,
વાદળાની વચ્ચે,
મું. આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવવાનું કે હું તારા ભવ્ય મંદીરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના સાતમા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાના ઘરકામ કરવા જાય છે. 'હું શું કામ ભણુ છું એની મારા માબાપ ને ખબર નથી. કદાચ શિષ્યવ્રૂતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાથી મળે છે એટલે મારા માબાપ મને રોજ નિશાળે ધકેલે છે. ભગવાન, બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કીધું'તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે...!
પ્રશ્ન-1— હું રોજ સાંજે તારા મંદીરે આવુ છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદીરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુંય કેમ નથી?...દર ચોમાસે પાણી ટપકે છે. આ મને સમજાતું નથી...!

પ્રશ્ન-2— તને રોજ બત્રીસ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતોય નથી... અને હું દરરોજ બપોરે મદયાહન ભોજનના એક મુઠી ભાતથી ભૂખ્યો ઘરે જાંઉં છું...! આવું કેમ...?

પ્રશ્ન-3— મારી નાની બેનનાં ફાટેલાં ફ્રોક ઉપર કોઈ થીગડુય મારતું નથી અને તારા નવાં-નવાં પચરંગી વાઘા! સાચુ કહું ભગવાન હું રોજ તને નહીં તારા કપડા જોવા આવું છું...!

પ્રશ્ન-4— તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને 15મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરું છું ત્યારે સામે હોય છે માત્ર મારા શિક્ષકો.....ને બાળકો...હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય ''મારા મંદિરે'' કેમ ડોકાતા નથી....!

પ્રશ્ન-5— તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવસ્ટાર હોટલ જેવું મંદિર છે ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ! મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તો'ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો'ય અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી....?

શક્ય હોય તો પાંચેય ના જવાબ આપજે... મને વાર્ષિક પરિક્ષામાં કામ લાગે...! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માબાપ પાસે ફી ના કે ટ્યુશનના પૈસા નથી.. તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું.... વિચારીને કે'જે....! હું જાણું છું તારે'ય ઘણાયને પૂછવું પડે એમ છે.
પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પેલાં જો તું મારામાં દયાન નહીં આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.5 ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દે શે...! ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ....પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ....!
જલ્દી કરજે ભગવાન.... સમય બહુ ઓછો છે' તારી પાસે....અને મારી પાસે પણ.....!
લી. એક સરકારી
શાળાનો ગરીબ વિધ્યાર્થી
અથવા
ભારતના એક ભાવિ
મજૂરના વંદે માતરમ્....
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)ં
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

कम मूल्य की वस्तु का अधिक मूल्य वसूल करना ही व्यापार हे


*****************************************
एक आइसक्रीम वाला रोज एक मोहल्ले में आइसक्रीम बेचने जाया करता था , उस कालोनी में सारे पैसे वाले लोग रहा करते थे . लेकिन वह एक परिवार ऐसा भी था जो आर्थिक तंगी से गुजर रहा था. उनका एक चार साल का बेटा था जो हर दिन खिड़की से उस आइसक्रीम वाले को ललचाई नजरो से देखा करता था. आइसक्रीम वाला भी उसे पहचानने लगा था . लेकिन कभी वो लड़का घर से बाहर नहीं आया आइसक्रीम खाने .
एक दिन उस आइसक्रीम वाले का मन नहीं माना तो वो खिड़की के पास जाकर उस बच्चे से बोला ,
" बेटा क्या आपको आइसक्रीम अच्छी नहीं लगती. आप कभी मेरी आइसक्रीम नहीं खरीदते ? "
उस चार साल के बच्चे ने बड़ी मासूमियत के साथ कहा ,
" मुझे आइसक्रीम बहुत पसंद हे . पर माँ के पास पैसे नहीं हे "
उस आइसक्रीम वाले को यह सूनकर उस बच्चे पर बड़ा प्यार आया . उसने कहा ,
" बेटा तुम मुझसे रोज आइसक्रीम ले लिया करो. मुझसे तुमसे पैसे नहीं चाहिए "
वो बच्चा बहुत समझदार निकला . बहुत सहज भाव से बोला ,
" नहीं ले सकता , माँ ने कहा हे किसी से मुफ्त में कुछ लेना गन्दी बात होती हे , इसलिए में कुछ दिए बिना आइसक्रीम नहीं ले सकता "
वो आइसक्रीम वाला बच्चे के मुह से इतनी गहरी बात सूनकर आश्चर्यचकित रह गया . फिर उसने कहा ,
" तुम मुझे आइसक्रीम के बदले में रोज एक पप्पी दे दिया करो . इस तरह मुझे आइसक्रीम की कीमत मिल जाया करेगी "
बच्चा ये सुकर बहुत खुश हुआ वो दौड़कर घर से बाहर आया . आइसक्रीम वाले ने उसे एक आइसक्रीम दी और बदले में उस बच्चे ने उस आइसक्रीम वाले के गालो पर एक पप्पी दी और खुश होकर घर के अन्दर भाग गया .
अब तो रोज का यही सिलसिला हो गया. वो आइसक्रीम वाला रोज आता और एक पप्पी के बदले उस बच्चे को आइसक्रीम दे जाता .
करीब एक महीने तक यही चलता रहा . लेकिन उसके बाद उस बच्चे ने अचानक से आना बंद कर दिया . अब वो खिड़की पर भी नजर नहीं आता था .
जब कुछ दिन हो गए तो आइसक्रीम वाले का मन नहीं मन और वो उस घर पर पहुच गया . दरवाजा उस बालक की माँ ने खोला . आइसक्रीम वाले ने उत्सुकता से उस बच्चे के बारे में पूछा तो उसकी माँ ने कहा ,
" देखिये भाई साहब हम गरीब लोग हे . हमारे पास इतना पैसा नहीं के अपने बच्चे को रोज आइसक्रीम खिला सके . आप उसे रोज मुफ्त में आइसक्रीम खिलाते रहे. जिस दिन मुझे ये बात पता चली तो मुझे बहुत शर्मिंदगी हुई .आप एक अच्छे इंसान हे लेकिन में अपने बेटे को मुफ्त में आइसक्रीम खाने नहीं दे सकती . "
बच्चे की माँ की बाते सूनकर उस आइसक्रीम वाले ने जो उत्तर दिया वो आप सब के लिए सोचने का कारण बन सकता हे ,
" बहनजी , कौन कहता हे की में उसे मुफ्त में आइसक्रीम खिलाता था . में इतना दयालु या उपकार करने वाला नहीं हु में व्यापार करता हु . और आपके बेटे से जो मुझे मिला वो उस आइसक्रीम की कीमत से कही अधिक मूल्यवान था . और कम मूल्य की वस्तु का अधिक मूल्य वसूल करना ही व्यापार हे ,
एक बच्चे का निश्छल प्रेम पा लेना सोने चांदी के सिक्के पा लेने से कही अधिक मूल्यवान हे . आपने अपने बेटे को बहुत अच्छे संस्कार दिए हे लेकिन में आपसे पूछता हु क्या प्रेम का कोई मूल्य नहीं होता ?"
उस आइसक्रीम वाले के अर्थपूर्ण शब्द सूनकर बालक की माँ की आँखे भीग गयी उन्होंने बालक को पुकारा तो वो दौड़कर आ गया . माँ का इशारा पाते ही बालक दौड़कर आइसक्रीम वाले से लिपट गया . आइसक्रीम वाले ने बालक को गोद में उठा लिया और बाहर जाते हुए कहने लगा ,
" तुम्हारे लिए आज चोकलेट आइसक्रीम लाया हु . तुझे बहुत पसंद हे न ?"
बच्चा उत्साह से बोला ,
" हां बहुत "
बालक की माँ ख़ुशी से रो पड़ती है
(આપના પ્રતિભાવો આવકાર્ય છે...)
1600+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

સોમવાર, 18 નવેમ્બર, 2013

Imp for bank exam


****************
►01. ISCI – International Standard Industrial Classification
►02. KCC – Kisan Credit Card
►03. KVIC – Khadi and Village Industries Corporation
►04. KYC – Know your customer
►05. LAMPS – Large Sized Adivasi Multipurpose societies
►06. LERMS – Liberalised Exchange Rate Management System
►07. LIC – Life Insurance Corporation of India
►08. MCA – Ministry of Company affairs
►09. MIS – Management Information System
►10. MICR – Magnetic Ink Character Recognition
►11. NABARD–NationalBank for Agriculture and RuralDevelopment
►12. NBFC – Non Banking Finance Companies
►13. NEFT – National Electronic Funds Transfer
►14. NPA – Non Performing assets
►15. NRE – Non Resident External account
►16. NRI – Non Resident Indian
►17. NSE – National Stock Exchange
►18. OLTAS – Online tax accounting system
►19. OMO – Open market operations
►20. PACS – Primary Agricultural Credit Societies
►21. PDO – Public Debt Office
►22. PIN – Personal Identification Number
►23. QIB – Qualified Institutional Buyers
►24. RBI – Reserve Bank of India
►25. RDBMS – Relational Database Management System
►26. REC – Rural Electrification Corporation
►27. RFC – Resident Foreign Currency
►28. RIDF – Rural Infrastructure Development Fund
►29. RRB – Regional Rural Bank
►30. RTGS – Real Time Gross Settlement
►31. RWA – Risk Weighted Assets
►32. SBI – State Bank of India
►33. SCB – Scheduled Commercial Bank
►34. SDR – Special Drawing Rights
►35. SEBI – Securities and Exchange Board of India
►36. SFMS - Structured Financial Messaging Services
►37. SHG – Self Help Group
►38. SIDBI – Small Industries Development Bank of India
►39. SIDC – State Industrial Development Corporation
►40. SJSRY –Swarna Jayanthi Shahari Rozgar Yojana
►41. SLR – Statutory Liquidity Ratio
►42. SLRS–Scheme for Liberation and Rehabilitation of Scavangers
►43. SMERA – SME rating agency of India Limited
►44. SSI – Small Scale Industries
►45. SME – Small and Medium Industries
►46. SSSBE – Small Scale Service and Business Enterprises
►47. UTI – Unit Trust of India
►48. WPI – Wholesale Price Index
►49. YTM – Yield to maturity
►50. LAB – Local Area Banks
Post By Sahdevsinh Masani
1500+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

ગુજરાતી જોક્સ


***********
COMMENT માં લાખો આમાંથી તમને કેટલામાં નંબર નો જોક્સ ગમ્યો ?
**************************
[11] કલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યા હતાં.
શિક્ષકે ચિંટુને કહ્યું : ‘હું તને મારી નાખીશ’નો અંગ્રેજીમાં અનુવાદ કર.
ચિંટુ : ‘અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….!!!’
**************************
[12] ડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ કર્યા પછી કહ્યું : ‘આ કોઈ જૂની બીમારી છે જેણે તમારી શારીરિક અને માનસિક શાંતિ છીનવી લીધી છે.’ ‘
ભગવાનને ખાતર ધીરે બોલો. આ બિમારી બહાર બેઠી છે.’ દર્દીએ ગભરાતાં કહ્યું.
**************************
[13] સંતા : ‘મત આપવા માટે સરકારે ૧૮ વર્ષની ઉમર નક્કી કરી છે. પણ લગ્ન કરવા માટે ૨૧ વર્ષની ઉમર કેમ નક્કી કરી છે ?’
બંતા : ‘જો ભાઇ, સરકારને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે પણ પત્ની સંભાળવી બહુ અઘરી છે.’
**************************
[14] રીના : ‘હું એક એવા ખુશ મિજાજ વ્યક્તિ સાથે લગ્ન કરવા માગું છું કે જે સારું ગાતો હોય, સારો નૃત્યકાર હોય, મને રોજ નવી જની જગ્યાઓ દેખાડે, દર અઠવાડીયે ફિલ્મ બતાવે, દુનિયાભરની વાતો કરે, હું બોલવાનું કહું તો જ બોલે અને હું ચૂપ રહેવાનું કહું તો તે ચૂપ થઇ જાય.’
રીટા : ‘મારા માનવા મૂજબ તને પતિ નહી પણ ટીવીની જરૂર છે.’
**************************
[15] સંતા એક પ્રવચન સાંભળીને ઘરે આવ્યો કે તરત તેની પત્નીને તેડી લીધી. પ્રિતો : ‘કેમ આજે ગુરૂજીએ રોમાન્સ પર પ્રવચન આપ્યું છે ?’
સંતા : ‘ના, ગુરૂજીએ કહ્યું છે પોતાનું દુ:ખ પોતે ઉપાડો…’
**************************
[16] છગન : ‘મેં એક જાણીતા ડિટરજન્ટથી મારો શર્ટ ધોયોને ચડી ગયો.’ દુકાનદાર : ‘એમાં આટલી ચિંતા શું કામ કરો છો ? તો હવે તમે તેનાથી જ નાહી લો ને !’
**************************
[17] બંતાએ હજામતની દુકાન ખોલી અને સંતા દાઢી કરાવવા આવ્યો.
બંતા : ‘મુછ રાખવી છે ?’
સંતા : ‘હા રાખવી છે.’
બંતા : (મુછ કાપીને) ‘લે, ક્યાં રાખવી છે ?’
**************************
[18] એક ડોક્ટરના ક્લિનિક બહાર બહુ ભીડ હતી અને ક્લિનિક ઉઘડવાને વાર હતી.
એક ભાઇ આગળ જતાં હતાં પણ લોકો તેને પકડી પાછળ ધકેલી દેતાં.
આમ લગભગ પાંચેકવાર બન્યું.
આથી ગુસ્સામાં તે ભાઇ બોલ્યા : ‘સાલાઓ આજે આખો દિવસ બધા લાઇનમાં જ ઉભા રહેજો આજે મારું ક્લિનિક જ નહી ખોલું…’
**************************
[19] એક વ્યક્તિનો પગ લીલો થઇ ગયો,
ડોક્ટર કહે, ‘ઝેર ચડ્યું છે, કાપવો પડશે..’
કાપી નાખ્યો..!!
થોડા દિવસ પછી બીજો પણ લીલો… તેને પણ કાપ્યો..
તે વ્યક્તિ લાકડાના પગ પર આવી ગઈ…!!
થોડા દિવસ પછી લાકડાના પગ પણ લીલા..!!
ડોક્ટર કહે : ‘હવે આપણને ખબર પડી…!!
તમારી લૂંગીનો રંગ જાય છે..!!’
**************************
[20] સંતાસિંહ ખતરનાક વાઘણ ખરીદી લાવ્યો.
લોકોએ તેને આ પ્રકારની ખરીદી વિશે પુછ્યું.
સંતા કહે : ‘મારી પત્નીનો બે મહિના પહેલા દેહવિલય થયો.
તેના જવાથી મને ઘરમાં બહુ સુનું સુનું લાગતું હતું.’
Post By Lmcp Nirhari
1500+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

ગુજરાતી જોક્સ


***********
COMMENT માં લાખો આમાંથી તમને કેટલામાં નંબર નો જોક્સ ગમ્યો ?
*******************************
[21] એક ભિખારીને એક દિવસ ભિખમાં એક પૈસો ન મળ્યો.
તેને ભગવાનને અરજ કરી.‘હે ભગવાન, આજે મને એક રુપિયો મળી જાય તો તેમાંથી આઠ આના તારા.’
આગળ જતાં રસ્તામાંથી આઠ આના મળ્યા ભિખારી તરત બોલ્યો : ‘હે ભગવાન ખરા છો તમે ! આઠ આના પહેલેથી જ કાપી લીધા…!!’
*******************************
[22] સંતાના તાજેતરમાં લગ્ન થયાં હતાં તો પણ તે મોડે સુધી ઓફિસમાં રોકાતો. આથી તેના અધિકારીએ તેના મોડે સુધી રોકાવાના કારણ વિશે પુછ્યું.
સંતા : ‘મારી પત્ની પણ નોકરી કરે છે. અમારા બંને વચ્ચે એવું નક્કી થયું છે કે જે ઘરે વહેલું પહોંચે તે રાતનું જમવાનું બનાવે.’
*******************************
[23] માનવી લગ્ન શા માટે કરે છે ?
માનવી લગ્ન એટલે કરે છે કે મૃત્યુ બાદ જો સ્વર્ગમાં જાય તો આનંદનો અનુભવ કરે ને જો નર્કમાં જાય તો ત્યાં તેને ઘર જેવું વાતાવરણ મળે.
*******************************
[24] સંતા બંતા અને તેનો મિત્ર મોટરસાઇકલ પર ત્રિપલ સવારીમાં જતાં હતાં તે જોઇ પોલીસે રોક્યા.
તમને ખબર નથી ત્રિપલ સવારી નો દંડ ભરવો પડે છે ?
આ ખબર છે અમે તો મારા મિત્રને મુકવા જઇ રહ્યા છીએ.
*******************************
[25] છગન :ડૉક્ટર સાહેબ,પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય ?
ડૉક્ટર : રૂ. બે લાખ થાય.
છગન : અને સાહેબ, જો પ્લાસ્ટિક હું મારા ઘરેથી લઈ આવું તો….?
*******************************
[26] સંતા : મેં તને પત્ર લખ્યો હતો તો પણ તું મારા લગ્નમાં કેમ ન આવ્યો?
બંતા : મને પત્ર જ નથી મળ્યો.
સંતા :મૂર્ખા મેં પત્રમાં લખ્યું તો હતું કે પત્ર મળે કે ન મળે પણ લગ્નમાં જરૂરથી આવજે.
*******************************
[27]પત્ની : ‘કહું છું સાંભળો છો ?’ પતિ : ‘હં…..’ પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….’ પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!’
*******************************
[28]છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’
ડૉક્ટર : ‘દસ હજાર.’ થોડા દિવસો પછી ડોક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
ડોક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.’
છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’
ડૉક્ટર : ‘કેવી રીતે ?’
છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’
*******************************
[29]છોકરી : ‘તું મને પ્રેમ કરે છે ?’
છોકરો : ‘હા, વહાલી.’
છોકરી : ‘તું મારા માટે મરી શકે ?’
છોકરો : ‘ના, હું અમરપ્રેમી છું.’
*******************************
[30]રામુ ઝાડ પર ઊંધો લટકતો હતો. શ્યામુએ આ જોયું.
એટલે પૂછ્યું : ‘તું ઝાડ પર ઊંધો થઈને કેમ લટકી રહ્યો છે ?’
શ્યામુ : ‘માથાના દુઃખાવાની ગોળી ખાધી છે, તે ક્યાંક પેટમાં ન જતી રહે એટલે….’
Post By Lmcp Nirhari
1500+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

આખા ઘરનો ભાર પોતાને માથે લઇ લે તેનુ નામ દીકરી


*******************************************
નાનકડા એક ગામમાં એક બાપ-માં અને નાનકડી દીકરીનું અત્યંત ગરીબ કુટુંબ માંડ માંડ એક ટંક નું ભોજન મેળવી ગુજરાન કરતુ હતું,

સવારે ખાધું હોય તો સાંજે ખાવા મળશે કે કેમ?? તે પ્રશ્નને પોતાના લલાટ માં ચોટેલું રાખી દિવસો પસાર થતા હતા.

એક દિવસની વાત છે. છોકરીની માતા ખુબ કંટાળીને તેના પતિને કહેવા લાગી કે આપણું માંડ માંડ પૂરું થાય છે તેમાં આ છોકરીની જાત સાપનો ભારો છે..

એ તો દિવસ-રાત જોયા વગર વધતી જાય છે. ગરીબી ની હાલતમાં આપને તેના લગ્ન કેવી રીતે કરી શકીશું..???
બાપ પણ વિચારમાં પડ્યો બંને એ હદય પર પત્થર મૂકી એક કારમો નિર્ણય લીધો કે આવતી કાલે દીકરીને મારીને દાટી દઈએ,

બીજા દિવસનો સુરજ ગંભીરતા પૂર્વક, ન નીકળવાની ઈચ્છા સાથે માંડ માંડ ઉગ્યો. માતાએ તેની દીકરી ને સરસ નવડાવી, માથા માં તેલ નાંખી આપ્યું વારંવાર તેની આલિંગન આપી ચુમતી. આ જોઈ દીકરીએ સહસા પૂછ્યું :- માં, મને ક્યાંક દુર મોકલે છે કે શું ??? નહીંતર આટલો પ્રેમ તે મને આજ સુધી કર્યો નથી. માતા ચુપ થઇ માત્ર રડવા લાગી તેવામાં તેના એક હાથમાં કોદાળી અને એક હાથમાં ધાર્યું લઇ આવ્યા,

માતાએ કઠણ કાળજે દીકરીને તેના પિતા સાથે મોકલી. રસ્તા માં ચાલતા ચાલતા તેના પિતાના પગ માં કાંટો વાગ્યો દીકરીએ તરત નીચા નામી કાંટો કાઢી આપ્યો. બાપની આંખ ભીની થઇ ગઈ. એક સુમસામ જગ્યાએ પિતાએ કોદરી વડે ખાડો ખોદવાનું શરુ કર્યું. દીકરી સામે બેસી હતી. થોડી વારમાં પિતાને પરસેવો થતા દીકરીએ પોતાની ફાટેલી ઓઢણીથી તેનો પરસેવો લુછી આપ્યો. બાપે ધક્કો મારી તેને દુર બેસવા કહ્યું. ધોમધખતા તાપને લીધે તેના બાપનો પરસેવો લૂછતાં બોલી :- પિતાજી તમે આરામ કરો હું તમને ખાડો ખોદવા માં મદદ કરું. મારા થી તમારું દુ:ખ જોવાતું નથી. આ સાંભળી તેના પિતાએ તેને બાથમાં લઇ લીધી તેમની આંખમાં શ્રાવણ-ભાદરવો વહેવા માંડ્યો. તેનું હદય પરિવર્તન થયું,

તે બોલ્યો :- દીકરા, મને માફ કરી દે, આ ખાડો તો હું તારા માટે ખોદતો હતો, અને તું મારી ચિંતા કરે છે ??? હવે જે થવું હોય તે થાય, આપણે હંમેશા સાથે રહીશું. થોડી મહેનત વધારે કરીશ અને મારી દીકરી તારા લગ્ન ધૂમધામ થી કરાવીશ. ત્યાર બાદ માં-બાપ અને દીકરી શાંતિથી પોતાનું ગુજરાન વિતાવવા લાગ્યા. અને સમય આવ્યે દીકરીના ધામ-ધૂમ થી લગ્ન પણ થઇ ગયા..
દીકરી તો વ્હાલનો દરિયો કહેવાય. તે સાપનો ભારો નથી પણ આખા ઘરનો ભાર પોતાને માથે લઇ ફરતી ઘરની લક્ષ્મી કહેવાય...
1500+ LIKES (નંદાણી વિજય)
PAGE LIKE કરવા માટે અહી Click કરો
Gujarat nu Gaurav By Nandani Vijay
જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ

બુધવાર, 9 ઑક્ટોબર, 2013

મારી વ્યક્તિ મને જ પ્રેમ કરતી હોવી જોઇએ


*******************************
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

માત્ર હૈયું જ ખોલવાનું છે, જીભ દ્વારા ક્યાં બોલવાનું છે?
ત્રાજવું લઈને કેમ આવ્યા છો? કોના હૈયાને તોલવાનું છે?
-ડો. એસ.એસ. રાહી

ગમે તેવો ગાઢ હોય તો પણ પ્રેમ ક્યારેય એકસરખો રહેતો નથી. પ્રેમ ક્યારેક અપ હોય છે, ક્યારેક ડાઉન હોય છે. પ્રેમ ક્યારેક ઘટ્ટ હોય છે, ક્યારેક પાતળો હોય છે. પ્રેમ ક્યારેક ઉગ્ર હોય છે, ક્યારેક શાંત હોય છે. પ્રેમ ક્યારેક તીવ્ર હોય છે, ક્યારેક શુષ્ક હોય છે. પ્રેમ અને લાગણી ક્યારેય એકસરખી રહેતી નથી, કારણ કે માણસ ક્યારેય એકસરખો હોતો નથી. દરેક પ્રેમીને એક વખત તો એવું થતું જ હોય છે કે હવે તું મને પહેલાં જેવો પ્રેમ કરતો નથી.

પ્રેમ માણસને પઝેસિવ બનાવી દે છે. મારી વ્યક્તિ મને જ પ્રેમ કરતી હોવી જોઈએ. હું એને ખૂબ જ પ્રેમ કરું છું એટલે એણે પણ મને અનહદ પ્રેમ જ કરવો જોઈએ. પ્રેમ ડિમાન્ડિંગ હોય છે. દરેક પ્રેમીને એમ જ થતું હોય છે કે મારા પ્રેમીનું 'સેન્ટર પોઈન્ટ' હું જ હોવી કે હોવો જોઈએ. કોઈ માણસ કોઈને ક્યારેય એક જ રીતે, એક પ્રમાણમાં અને એક જ સરખો પ્રેમ કરી શકતો નથી. માણસનું મન તરલ છે, એમાં ક્યારેક ઉભરો આવે છે અને ક્યારેક તળિયું દેખાઈ જાય છે.
અતિશય પ્રેમ માણસને શંકાશીલ બનાવી દે છે. તું આખો દિવસ શું કરે છે? કોને મળે છે? કોની સાથે વાત કરે છે? પઝેસિવ માણસ એવું પણ વિચારવા માંડે છે કે મારી વ્યક્તિ મારા સિવાય બીજા કોઈના વિચાર પણ ન કરે. આવું થઈ શકતું નથી અને એટલે જ પ્રેમના પતનની શરૂઆત થાય છે. પ્રેમમાં દરેક માણસે પઝેસિવ હોવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી પણ તમે તમારી પઝેસિવનેસ કેવી રીતે સમજો છો અને કેટલી ઠોકી બેસાડો છો એના ઉપર પ્રેમનો આધાર હોય છે.
એને છૂટો મૂકી દઉં તો તો એ મારા હાથમાં જ ન રહે, થોડીક તો નજર રાખવી જ પડે. જેને છૂટા નથી મૂકતા એ છટકી જતા હોય છે. શંકા અને શ્રદ્ધા વચ્ચે પ્રેમ હાલકડોલક થતો રહે છે. હમણાં બે પ્રેમીઓ વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. કારણ શું હતું? પ્રેમિકાની એક ફ્રેન્ડે તેનો ફોટો ફેસબુક પર અપલોડ કર્યો. છોકરાએ કમેન્ટ કરી કે, યુ લુક બ્યુટીફૂલ. આ વાતથી પ્રેમિકા નારાજ થઈ ગઈ. મારા સિવાય બીજું કોઈ બ્યુટીફૂલ લાગે જ કેવી રીતે? એ તને બ્યુટીફૂલ લાગે છે ને, તો રાખ દોસ્તી એની સાથે. કેવી નાની નાની બાબતોમાં આપણે જજમેન્ટલ બની જતા હોઈએ છીએ.
નારાજગી એક વાત હોય છે અને નફરત બીજી. હમણાંની વાત છે. એક મિત્રને એની પત્ની સાથે એક બાબતે ઝઘડો થયો. ઝઘડો લાંબો ચાલ્યો. પતિના મિત્રએ કહ્યું કે, કેમ હમણાં બરાબર નથી ચાલતું? પતિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેણે કહ્યું, ચાલ્યા રાખે. થઈ જશે. તેણે પછી સરસ વાત કરી. તેણે કહ્યું કે હું કેટલીય કંપનીઓના ચોપડા તપાસું છું. દરેક મહિનો સરખો નથી હોતો. ક્યારેક નફો હોય છે તો ક્યારેક ખોટ. પ્રેમનું પણ એવું જ હોય છે. હું વર્ષે નફાનો હિસાબ કાઢું છું. સરેરાશ કેવી છે? સરેરાશ સરખી હોવી જોઈએ. મને ખબર છે કે હું ખોટમાં નથી. દરેક સમય એકસરખો રહેતો નથી અને દરેક પ્રેમ પણ.
હમણાં એક સાઇકિયાટ્રિસ્ટે સંબંધ બાબતમાં સર્વે કર્યો. પ્રેમમાં ભરતી અને ઓટ શા માટે આવે છે? પ્રેમના અનેક પ્રકાર છે. માણસના સંબંધ અને લાગણી એકસરખાં હોતાં નથી. એક મિત્ર પ્રત્યે વધુ લાગણી હોય છે અને બીજા પ્રત્યે ઓછી. ઘણી વખત ઓછી લાગણી હોય તેને પણ આપણે વધુ મદદ કે પ્રેમ કરતા હોઈએ છીએ, કારણ કે જેને વધુ પ્રેમ કરીએ છીએ તેને મદદની જરૂર હોતી નથી. આવા સમયે એક મિત્ર એવું પણ માનવા લાગ્યો કે હવે મારા કરતાં એ તને વધુ વ્હાલો લાગે છે. પ્રેમી અને પતિ-પત્નીના પ્રેમમાં પણ વધઘટ થતી રહે છે. પ્રેમના અનેક માર્ગો હોય છે. અનેક મંઝિલ હોય છે. પતિ હોય કે પત્ની, બંનેને માતાપિતા હોય છે, ભાઈ-બહેન હોય છે, ક્લીગ હોય છે. ફ્રેન્ડ્સ હોય છે. પડોશી હોય છે. પ્રેમ વહેંચાતો રહે છે. આ વહેંચાતો પ્રેમ ઘણી વખત પ્રેમ માટે જ ઉપાધિરૂપ બનતો રહે છે.
માણસને એક જ વ્યક્તિ વહાલી હોય એવું હોતું નથી. હા, પ્રેમી કે પત્ની અથવા તો પ્રેમી કે પતિ પોતાને જ પ્રેમ કરે એવું દરેક ઇચ્છતા હોય છે. કોઈ વ્યક્તિને પોતાની વ્યક્તિ'શેર' કરવી ગમતી નથી. પ્રેમીઓ અને દંપતીઓ બીજાં અફેર ન કરે એ ચિંતા સમજી શકાય એવી છે પણ બીજા સંબંધોનું શું? તને તારા મિત્રો જ ગમે છે, મારી કંઈ પડી જ નથી. મિત્રો મળે એટલે તું મને ભૂલી જાય છે. પત્ની આવી ફરિયાદ કરતી રહે છે. તો પતિને પત્નીનાં પિયરિયાં'વ સાથે પ્રોબ્લેમ હોય છે. તારાં ભાઈ-બહેન આવે એટલે તને બીજું કંઈ જ યાદ રહેતું નથી.
પત્ની અને માતા વચ્ચે દરેક માણસ થોડો ઘણો તો પિસાતો જ હોય છે. મોટા ભાગના પુરુષોએ બંને તરફથી ટોણા સાંભળવા પડતા હોય છે. પત્નીએ ક્યારેક તો માવડિયો કહ્યો જ હોય છે અને મોટાભાગની માતા ક્યારેક તો એવું કહેતી જ હોય છે. બૈરી આવી પછી તું એનો થઈ ગયો છે. પુરુષને બંને પ્રત્યે લાગણી હોય છે. મજાની વાત એ હોય છે કે પત્ની અને માતા બંનેને પતિ અને દીકરા પ્રત્યે પ્રેમ હોય છે પણ બંનેની દાનત એવી જ હોય છે કે એ વ્યક્તિ માત્ર ને માત્ર મારા પ્રત્યે જ લાગણી રાખે. પુરુષ બેલેન્સ કરવામાં હાંફી રહેતો હોય છે. એક કો મનાઓ તો દુજા રૂઠ જાતા હૈ.
પ્રેમ માત્ર કરવાની ચીજ નથી, સમજવાની પણ ચીજ છે. તમે તમારી વ્યક્તિને એની રીતે એની સાથે જોડાયેલા લોકોને પ્રેમ કરવા દો છો? ના. મોટેભાગે આપણે એવું ઇચ્છતા હોઈએ છીએ કે આપણી વ્યક્તિ એની વ્યક્તિઓને આપણે ઇચ્છીએ એટલો જ પ્રેમ કરે. આનું આટલું જ રાખવાનું, આના માટે આટલું જ કરવાનું. એનાથી વધુ નહીં. એવું થતું નથી. જો એની સમજણ ન હોય તો પ્રોબ્લેમ થાય છે. અરે, સંતાનોને પણ એવું હોય છે કે, મારા ડેડીને મારા કરતાં બહેન પ્રત્યે વધુ લાગણી છે.
સંબંધો ઘણા હોય છે.થોડાક લોહીના હોય છે. થોડાક પારકા હોય છે. થોડાક સાવકા હોય છે અને થોડાક એવા હોય છે જેનાં કોઈ કારણો હોતાં નથી. એ બસ હોય છે. પ્રેમ પામવો હોય તો પ્રેમને માપવાનું છોડી દો. આપણે પ્રેમ માપતા રહીએ છીએ. પ્રેમની ટકાવારી નથી હોતી. પ્રેમ પર્સન્ટેજમાં થતો નથી. પત્નીને આટલા ટકા, દોસ્તને આટલા ટકા, બહેન માટે આટલા ટકા કે ભાઈ માટે આટલા ટકા એવું માપ નીકળતું નથી. પ્રેમ ક્યારેક દરેકમાં સેન્ટ પર્સન્ટ હોય છે અને ક્યારેક એ જ માઇનસ થઈ નફરતમાં પલટાઈ જતો હોય છે.
સૌથી સાચી વાત એ જ હોય છે કે એ માણસ કેવો છે? બધાંને પ્રેમ કરે એવો છે કે કોઈને પ્રેમ ન કરી શકે એવો? જે કોઈને પ્રેમ ન કરી શકતો હોય એ તમને પણ પ્રેમ નહીં કરી શકે અને જે બધાને પ્રેમ કરતો હશે એની પાસે તમારા માટે પણ પૂરતો પ્રેમ હશે. મને જ પ્રેમ કરે, મારા વિચારો જ કરે, મારામય જ રહે, મારા સિવાય એને કંઈ જ ન દેખાય એવું ઇચ્છવું ઘણી વખત જોખમી હોય છે. જો પ્રેમ હોય તો ઘણી વખત માણસ એવું પણ કરતો હોય છે. પણ એ એની અંદર બીજા પ્રેમનું ગળું ઘોંટતો હોય છે. એના પ્રેમમાં પ્રેમ હશે પણ હળવાશ નહીં હોય. સંબંધોમાં ભીનાશ અને હળવાશ વર્તાવી જોઈએ. પ્રેમને બાંધી ન રાખો. તમે કોઈ ફૂલ લઈ આવ્યા હોય, એ ફૂલ તમારું જ હોય છતાં તમે એવી અપેક્ષા ન રાખી શકો કે એ ફૂલની સુગંધ માત્ર તમને જ આવે. ફૂલની સુગંધ કાબૂમાં રાખવા જશો તો કદાચ એની સુગંધ તમને પણ નહીં આવે.
છેલ્લો સીન :
દુશ્મનને સરળતાથી ખતમ કરી દેવો છે? એને મિત્ર બનાવી દો.. -અજ્ઞાત

('સંદેશ', તા. 29 સપ્ટેમ્બર,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, 'ચિંતનની પળે' કોલમ)
Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

મા..... એ.......મા


*************
હું અને મારી માં. ઘરમાં અમે બન્ને જ હતા. મારી માને ખાલી એક આંખ હતી. મને તેને જોઇ ખુબ ક્ષોભ થતો. હું તેને ધિક્કારતો હતો. અમે મધ્યમ વર્ગના હતા. તે લોકોનુ ઘરકામ કરીને એના અને મારા નિર્વાહમાં મદદ કરતી. .. હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે મારી મા એક દિવસે એમજ મને મળવા આવી હતી. મને એમ થયુ કે ધરતી માર્ગ આપે તો તેમાં સમાઇ જાઉં. હું ગમે તેમ કરી ત્યાંથી ભાગી ગયો. બિજે દિવસે શાળાએ ગયો તો મારા વર્ગનો એક વિદ્યાર્થી મને ચીઢવતો હતો, "એઇઇઇ..... તારી માને તો એક જ આંખ છે! તારી માંતો કાણી.. તારી માંતો કાણી!" હું ભોઠો પડ્યો. ઘરે જઇને મેં માને સંભળાવ્યું,"તારે હવેથી મારી શાળામાં નઇ આવવાનું. લોકો માર પર હસે છે... તને કંઇ ખબર પડે છે?" .. માં કઇ ના બોલી. હું એટલો બધો ગુસ્સામાં હતો કે મેં પણ આ ઉદગારો કાઢતા પહેલાં વિચાર ન કર્યો. માંને શું લાગણી થતી હશે તેનાથી હું તદ્દન અજાણ હતો. .. મારે મારી માંથી દુર જવુ હતું. તેથી હું ખુબ ભણ્યો. મને સારી નોકરી પણ મળી. મેં લગ્ન કર્યા. અમને બાળકો થયા. મે સુંદર એવું મારું પોતાનું ઘર ખરીદ્યુ અને મારી માથી દુર રહેવા ચાલ્યો ગયો. હું મારા કુટુંબ સાથે અમારા આરામદાયક જીવનથી ખુબ ખુશ હતો. .. એક દિવસે મારી માં ઓચિંતી મારા ઘરે મને મળવા આવી. મારાં બાળકો પણ પહેલાં તેના દેખાવથી ડર્યા; પછી તેના પર હસ્યાં. મને ખુબ ગુસ્સો આવ્યો. મે રાડ પાડીને એને કહ્યુ, "મારા બોલાવ્યા વગર મારા ઘરે આવવાની તેં હિંમત કેવી રીતે કરી? મારા બાળકો ડરી જાય છે, તને ભાન નથી પડતુ? તું હમણાં ને હમણાં અહીંથી ચાલી જા" .. મારી માંએ શાંતિથી મને કહ્યું, "મને માફ કર, બેટા. અહીં આવીને મેં ભુલ કરી..." ને પાછી ચાલી ગઇ. .. થોડા વર્ષો પછી મારી માં ખુબ બિમાર છે તેવા સમાચાર મળ્યા. વ્યાવસાયીક કારણ સર હું જઇ ના શક્યો. થોડા દિવસો પછી યાદ આવતા હું માંના ઠેકાણ્ર ગયો. પડોશીઓ દ્વારા મને જાણવા મળ્યુ કે મારી માંનુ મૃત્યુ થોડ દિવસો પહેલા થઇ ગયુ છે. તેમ છતા મારી આંખમાંથી એક આંસુ ન પડ્યું. .. પડોશીએ મારી માંએ એના અંત સમયે લખેલ પત્ર મારા હાથમાં મુક્યો.
પત્ર :- "મારા વહાલા દિકરા. હું તને હંમેશા ખુબ યાદ કરું છું. તારા ઘરે આવીને તારાં બાળકોને ડરાવવા બદલ હું ખુબ દિલગીર છું. હું તારા માટે સતત ભોંઠપનો વિષય વનવા બદલ પણ તારી માફી માંગુ છું. હવે કદાચ આપણે મળી નહી શકીયે તેથી હું તને આ વાત કરી રહી છું. જ્યારે તું ખુબ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ ચાલી ગઇ હતી. તારી માં તરીકે હું તને એક આંખ વાળો જોઇ શકતી નહોતી. તેથી છેવટે મેં મારી એક આંખ તને આપી દિધી. મારો દિકરો હવે વિશ્વને બરાબર જોઇ શકતો હતો તે બદલ હું ખુબ ખુશ હતી. તારી આંખો દ્વારા જાણે હું જ તારી જગ્યા એ વિશ્વને જોતી - અનુભવતી. ખુબ વહાલપુર્વક. - તારી માં...!!!

Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

ભારતીય સંસ્કૃતિ


***********
ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છે.
*********************************************
આપણા કુલ 4 વેદો છે.
1] ઋગવેદ 2] સામવેદ 3] અથર્વેદ 4] યજુર્વેદ
*********************************************
કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ 2] સાંખ્ય 3] નિરૂક્ત 4] વ્યાકરણ 5] યોગ 6] છંદ
*********************************************
આપણી 7 નદી
1] ગંગા 2] યમુના 3] ગોદાવરી 4] સરસ્વતી 5] નર્મદા 6] સિંધુ 7]કાવેરી
*********************************************
આપણા 18 પુરાણ
1] ભાગવતપુરાણ 2] ગરૂડપુરાણ 3] હરિવંશપુરાણ 4] ભવિષ્યપુરાણ 5] લિંગપુરાણ 6] પદ્મપુરાણ 7] બાવનપુરાણ 8] બાવનપુરાણ 9] કૂર્મપુરાણ 10] બ્રહ્માવતપુરાણ 11] મત્સ્યપુરાણ 12] સ્કંધપુરાણ 13] સ્કંધપુરાણ 14] નારદપુરાણ 15] કલ્કિપુરાણ 16] અગ્નિપુરાણ 17] શિવપુરાણ 18] વરાહપુરાણ
*********************************************
પંચામૃત
દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ
*********************************************
પંચતત્વ
પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ
*********************************************
ત્રણ ગુણ
સત્વ, રજ અને તમસ
*********************************************
ત્રણ દોષ
વાત, પિત્ત, કફ
*********************************************
ત્રણ લોક
આકાશ, મૃત્યુલોક, પાતાળ
*********************************************
સાત મહાસાગર
ક્ષીરસાગર, દૂધસાગર, ધૃતસાગર, પથાનસાગર, મધુસાગર, મદિરાસાગર, લડુસાગર
*********************************************
સાત દ્વીપ
જમ્બુદ્વીપ, પલક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલીદ્વીપ
*********************************************
ત્રણ દેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
*********************************************
ત્રણ જીવ
જલચર, નભચર, થલચર
*********************************************
ત્રણ વાયુ
શીતલ, મંદ, સુગંધ
*********************************************
ચાર વર્ણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર
*********************************************
ચાર ફળ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
*********************************************
ચાર શત્રુ
કામ, ક્રોધ, મોહ, લોભ
*********************************************
ચાર આશ્રમ
બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ
*********************************************
અષ્ટધાતુ
સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ, પિત્તળ, રાંગુ
*********************************************
પંચદેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય
*********************************************
ચૌદ રત્ન
અમૃત, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, કૌસ્તુભમણિ, ઉચ્ચૈશ્રવા ઘોડો, પાંચજન્ય શંખ, ચન્દ્રમા, ધનુષ, કામધેનુ, ધનવન્તરિ. રંભા અપ્સરા, લક્ષ્મીજી, વારુણી, વૃષ.
*********************************************
નવધા ભક્તિ
શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન.
*********************************************
ચૌદભુવન
તલ, અતલ, વિતલ, સુતલ, સસાતલ, પાતાલ, ભુવલોક, ભુલૌકા, સ્વર્ગ, મૃત્યુલોક, યમલોક, વરૂણલોક, સત્યલોક, બ્રહ્મલોક.
*********************************************
દેવાધિદેવ મહાદેવ
*********************************************
Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

તમે એક સફળ વ્યક્તિ છો


******************
એમ જાણવું હોય તો શું કરશો ?
વેલ, એનો એક રસ્તો છે. નીચે જણાવેલા વિધાનો સાથે તમે કેટલા સહમત છે એ જોઈ જાઓ અને પછી જુવો
કે તમે સફળ છો કે કેમ ?

૧. સફળ વ્યક્તિનું જીવન ધ્યેય નક્કી હોય છે.
૨. એ હંમેશા સમસ્યામાં ગુચવાય જવાને બદલે એના ઉકેલ ઉપર વધારે ધ્યાન આપે છે.
૩.એને નિષ્ફળતા ડરાવી કે ડગાવી જતી નથી.
૪.એનો આત્મવિશ્વાસ દ્દ્રઢ હોય છે, અડગ હોય છે.
૫. કોઈ પણ પરિસ્થિતિને હકારાત્મક નજરે જોઇને એમાં એ સફળ થાય છે.
૬. એ સતત નવું અને ઉપયોગી શીખવાની વૃત્તિ ધરાવે છે.
૭. કોઈ ટીકા કરે તો એમાં એ સ્વસ્થ રહી એમાંથી એ પોતાની ભૂલ સમજી સવાયો લાભ મેળવે છે.
૮. કાંટામાં ગુલાબ અને ગુલાબમાં કાંટા બંને નો આનદ લઇ શકે છે.
૯. સતત બીજાને મદદ કરવા તત્પર રહે છે.
૧૦. એમના માટે જીવનમાં સંઘર્ષ નહિ, સંઘર્ષમાં જીવન છે.
૧૧. એ સચેત હોય છે, પણ શંકાશીલ નહિ.
૧૨.જોખમ ઉઠાવે પણ આંધળું નહિ, ગણતરી પૂર્વકનું.
૧૩. ઉંચી જવાબદારી લઇ એ કામને પૂર્ણ કરવાનું khamir ધરાવે છે.
૧૪. અનીચ્સિતતાથી ડર્યા વિના સતત આગળ ધપે છે

Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

Countries of the Middle East


*********************
COUNTRY—CAPITAL
-------------------------
1 Algeria— Algiers
2 Bahrain— Manama
3 Egypt— Cairo
4 Gaza Strip— Gaza
5 Iran —Tehran
6 Iraq— Baghdad
7 Israel— Jerusalem
8 Jordan— Amman
9 Kuwait— Kuwait City
10 Lebanon— Beirut
11 Libya— Tripoli
12 Morocco— Rabat
13 Oman— Muscat
14 Qatar— Doha
15 Saudi Arabia —Riyadh
16 Syria— Damascus
17 Tunisia —Tunis
18 Turkey— Ankara
19 United Arab Emirates— Abu Dhabi
20 Yemen— Sana'a

Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

Indian Railway Zones and their Headquarters


**********************************
1. Northern Railway--Delhi
2. North Eastern Railway--Gorakhpur
3. Northeast Frontier Railway--Maligaon(Guwahati)
4. Eastern Railway--Kolkata
5. South Eastern Railway--Kolkata
6. South Central Railway--Secunderabad
7. Southern Railway--chennai
8. Central Railway--Mumbai
9. Western Railway--Mumbai
10. South Western Railway--Hubli
11. North Western Railway--jaipur
12. West Central Railway--jabalpur
13. North Central Railway--Allahabad
14. South East Central Railway--Bilaspur
15. East Coast Railway--Bhubaneswar(data facebook/cnaonweb)
16. East Central Railway--Hajipur
17. Kolkata Metro--Kolkata

Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

UNITED STATES— Chiefs of State and Cabinet Members of Governments—


*****************************************
President— Barack Obama
Vice President— Joe Biden
First Lady —Michelle Obama
Department of State Secretary — John Kerry
Department of the Treasury —Secretary Jack Lew
Department of Defense —Secretary Chuck Hagel
Department of Justice —Attorney General Eric H. Holder, Jr.
Department of the Interior —Secretary Sally Jewell
Department of Agriculture —Secretary Thomas J. Vilsack
Department of Commerce —Secretary Penny Pritzker
Department of Labor —Secretary Thomas E. Perez
Department of Health and Human Services —Secretary Kathleen Sebelius(data by facebook/cnaonweb)
Department of Housing and Urban Development —Secretary Shaun L.S. Donovan(data by facebook/cnaonweb)
Department of Transportation —Secretary Anthony Foxx
Department of Energy —Secretary Ernest Moniz
Department of Education —Secretary Arne Duncan
Department of Veterans Affairs —Secretary Eric K. Shinseki
Department of Homeland Security —Acting Secretary Rand Beers

Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

लॉर्ड की उपाधि प्राप्त भारत केवाइसरॉय एवं गवर्नर जनरल:


**************************************
• लॉर्ड विलियम बैन्टिक, भारत केगवर्नर जनरल(1833–1858)
• लॉर्ड ऑकलैंड
• लॉर्ड ऐलनबरो
• लॉर्ड डलहौज़ी
• लॉर्ड कैनिंग, भारत के वाइसरॉयएवंगवर्नर-जनरल (1858–1947)
• लॉर्ड कैनिंग
• लॉर्ड मेयो
• लॉर्ड नैपियर
• लॉर्ड नॉर्थब्रूक
• लॉर्ड लिट्टन
• लॉर्ड रिप्पन
• लॉर्ड डफरिन
• लॉर्ड लैंस्डाउन
• लॉर्ड कर्जन
• लॉर्ड ऐम्प्थिल
• लॉर्ड मिंटो
• लॉर्ड हार्डिंग
• लॉर्ड चेम्स्फोर्ड
• लॉर्ड रीडिंग
• लॉर्ड इर्विन
• लॉर्ड विलिंग्डन
• लॉर्ड माउंटबैटन
Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

તમારે આવુ થાય છે ?


***************
1.) તમે જયારે હાથ ગ્રીસવાળા કરી બેસો તે પછી જ તમારા નાકમાં ખંજવાળ આવે છે.

2.) જયારે તમે કોઈ ખોટો નંબર લગાડી દો ત્યારે કોઈ દિવસ સામેનો ફોન વ્યસ્ત હોતો નથી.

3.) જયારે તમે ન્હાવા બેસો અને આખું શરીર પલળીજાય તે પછી જ ફોનની ઘંટડી રણકે છે.

4.) તમે જયારે કોઈક લાઈનમાં હોવ અને બીજી લાઈનચાલુ થતા તમે પહેલી લાઈન છોડી બીજીમાં ઉભા રહેવા જતા રહો તે પછી પહેલી લાઈન જલ્દી જલ્દીઆગળ વધવા માંડે છે.

5.) કોઈપણ કાર્યક્રમમાં સામે કોર્નર પર બેઠેલી વ્યક્તિ જ હમેશા મોડી આવે છે.

૬.) જયારે કોઈ પણ ઓજાર કે વસ્તુ તમારા હાથમાંથી પડી જાય ત્યારે તમારા હાથમાં ના આવે એવા કોઈ ખૂણામાં જતી રહે છે.

૭.) જયારે એકાદ દિવસ તમે ઓફીસમાં મોડા પડો અને બોસને એવું બહાનું બતાવો કે ટાયર પંક્ચર થઇ ગયું હતું તો બીજા દિવસે સાચે જ ટાયર પંક્ચર થઇ જાય છે.

૮.) જયારે તમે સાબિત કરવા મથો છો, કે કોઈક મશીનકામ કરતુ નથી ત્યારે તે બતાવતી વખતે મશીન એકદમ બરાબર કામ કરે છે.

૯.) ખણની જગા હાથની પહોચથી જેટલી દુર તેટલી ખણ વધુ તીવ્ર હોય છે.

૧૦.)Gujarat nu Gaurav By Nandani Vijay વાંચવા બેસો ત્યાં જ એની કોપી વાળો બીજે ક્યાંક દેખાય

૧૧.) જેવા તમે ગરમાગરમ કોફીનો કપ લઇ તે પીવા જાવ છો ત્યાં જ તમારા બોસ તમને એવું કૈક કામ સોપશે જે કરવામાં જ તમારી કોફી ઠંડી થઇ જશે.

૧૨.) જયારે તમે કોઈ એવી વ્યક્તિની સાથે હોવ જેની સાથે દેખાવાની તમારી ઈચ્છા ના હોય ત્યારે અચૂક તમને કોઈ ઓળખીતું ભટકાઈ જ જાય છે.

Like કરો , Comment કરો, POST ગમે તો Share

क्या आप जानते हैं कि पिन कोड का मतलब क्या होता है.....?


****************************************
आपके इलाके का पिन कोड तो आपको याद ही होगा। हर किसी को पिन कोड जबानी याद होता है। कोई चिट्ठी भेजनी हो, कोरियर या मनी ऑर्डर पिन कोड की जरूरत तो सभी को पड़ती है। लेकिन, क्या आप जानते हैं कि पिन कोड का मतलब क्या होता है...?

पिन कोड एक बहुत ही महत्वपूर्ण कोड होता है। इसकी मदद से आप अपने इलाके की पूरी जानकारी आसानी से निकाल सकते हैं। जब आप अपना पिन कोड किसी को बताते हैं तो इसका मतलब होता है कि आप अपने एरिया की पूरी जानकारी उसे दे रहे हैं।

पिन कोड का जनम 15 अगस्त 1972 को हुआ था। पिन कोड का मतलब होता है पोस्टल इंडेक्स नंबर। 6 नंबरों को मिलाकर बनाया गया ये कोड आपके एरिया की पूरी जानकारी देता है।

इसका हर नंबर कोई खास एरिया की जानकारी देता है। इस जानकारी की मदद से पोस्ट ऑफिस के लोग सही जगह पैकेट को डिलिवर करते हैं।

हमारा पूरा देश 6 खास जोन में डिवाइड किया हुआ है। इसमें से 8 रीजनल जोन हैं और एक फंक्शनल जोन। हर पिन कोड किसी ना किसी खास जोन की जानकारी देता है।

पिन कोड के नंबर- अगर आपके पिन कोड का पहला नंबर 1 है तो इसका मतलब है कि आप दिल्ली, हरियाणा, पंजाब, हिमाचल प्रदेश या जम्मू और कश्मीर में से किसी राज्य से हैं।

अगर यही नंबर 2 है तो आप उत्तर प्रदेश
या उत्तरांचल से हैं। इसी तरह अगर आपके
पिन कोड का पहला नंबर 3 है तो आप वेस्टर्न जोन के राजस्थान या गुजरात से ताल्लुक रखते हैं। 4 नंबर से शुरू होने वाला पिन कोड महाराष्ट्र, मध्यप्रदेश और छत्तीसगढ़ का कोड होता है। इसी तरह 5 से शुरू होने वाला कोड आंद्र प्रदेश और कर्नाटक का होता है। अगर आपका पिन कोड 6 से शुरू हो रहा है तो आप केरला या तमिलनाडू के रहने वाले हैं। अब अगर आपके पिन कोड का पहला नंबर 7 है तो आप ईस्टर्न जोन में हैं। यहां आप बंगाल, ओरिसा, और नॉर्थ ईस्टर्न इलाकों में हैं। अगर आपके पिन कोड का पहला नंबर 8 है
तो यह इस बात का संकेत है कि आप बिहार या झरखंड में रहते हैं। अब अगर आप 9 नंबर से शुरू होने वाले पिन कोड का प्रयोग करते हैं तो यह इस बात का सबूत है कि आप फंक्शनल जोन में रहते हैं। यह होता है आर्मी पोस्टल सर्विसेज के लिए।

अब ये तो हुई पहले नंबर की बात अब हम बात करते हैं पिन कोड के शुरू के दो नंबरों के बारे में। 11 नंबर दिल्ली का होता है, 12-13 हरियाणा, 14-16 पंजाब, 17 हिमाचल प्रदेश, 18 और 19 जम्मू और काश्मीर, 20-28 उत्तर प्रदेश और उत्तरांचल के लिए, 30-34 राजस्थान, 36-39 गुजरात, 40-44 महाराष्ट्रा, 45-49 मध्यप्रदेश और छत्तीसगढ़, 50-53 आंध्रप्रदेश, 56-59 कर्नाटक, 60-64 तमिलनाडू, 67-69 केरला, 70-74 बंगाल, 75-77 ओरिसा, 78 आसाम, 79 नॉर्थ ईस्टर्न इलाके, 80-85 बिहार और झारखंड, 90-99 आर्मी पोस्टल सर्विसेज।

पिन कोड के अगले 3 डिजिट उस इलाके की जानकारी देते हैं जहां आपका पैकेट पहुंचना है। इसका मतलब है उस ऑफिस में जहां आपका पैकेट जाएगा। एक बार आपका पैकट सही ऑफिस तक पहुंच गया तो वहां से यह आपके घर तक पहुंचाया जाता है। अब आप समझे पिन कोड कितना महत्वपूर्ण है।

Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

आइए, भारत के बारे में कुछ जानें


*************** ********
*. भारतीय सँस्कृति व सभ्यता विश्व की पुरातन में से एक है।

*. भारत दुनिया का सबसे पुरातन व सबसे बड़ा लोकतंत्र है।

*. भारत ने शून्य की खोज की। अंकगणित का आविष्कार 100 ईसा पूर्व भारत मे हुआ था।

*. हमारी संस्कृत भाषा सभी भाषाओं की जननी मानी जाती है।
सभी यूरोपीय भाषाएँ संस्कृत पर आधारित मानी जाती है ।

*. सँसार का प्रथम विश्वविद्यालय 700 ई. पू. तक्षशिला में स्थापित की गई थी।
तत्पश्चात चौथी शताब्दी में नालंदा विश्वविद्यालय की स्थापना की गई।

*. 5000 वर्ष पूर्व जब अन्य संस्कृतियां खानाबदोश व वनवासी जीवन जी रहे थे
तब भारतीयों ने सिंधु घाटी की सभ्यता में हड़प्पा संस्कृति की स्थापना की।

*. महर्षि सुश्रुत सर्जरी के आविष्कारक माने जाते हैं।
2600 साल पहले उन्होंने अपने समय के स्वास्थ्य वैज्ञानिकों के साथ प्रसव ,
मोतियाबिंद , कृत्रिम अंग लगाना , पत्थरी का इलाज और प्लास्टिक सर्जरी जैसी कई तरह की जटिल शल्य चिकित्सा के सिद्धांत प्रतिपादित किए।

*. ब्रिटिश राज से पहले तक भारत विश्व का सबसे समृद्ध राष्ट्र था व इसे ,
'सोने की चिड़िया'कहा जाता था ।

*. आधुनिक भवन निर्माण पुरातन भारतीय वास्तु शास्त्र से प्रेरित है।

*. कुंग फू मूलत: एक बोधि धर्म नाम के बोद्ध भिक्षु के द्वारा विकसित किया गया था जो 500 ई के आसपास भारत से चीन गए।

*. वाराणसी अथवा बनारस दुनिया के सबसे प्राचीन नगरों में से एक है।
महात्मा बुद्ध ने 500 ई. पू. बनारस की यात्रा की थी। बनारस विश्व का एकमात्र ऐसा प्राचीन नगर है जो आज भी अस्तित्व में है।

*. सबसे प्राचीन उपचार प्रणाली आयुर्वेद है। आयुर्वेद की खोज 2500 साल पहले की गई थी।

*. बीजगणित की खोज भारत में हुई।

*. रेखा गणित की खोज भारत में हुई थी।

*. शतरंज अथवा अष्टपद की खोज भारत मे हुई थी।

*. हिन्दू , बौद्ध , जैन अथवा सिख धर्मों का उदय भारत में हुआ।

*. कम्प्यूटर के लिए सबसे उपयुक्त भाषा भी संस्कृत ही मानी है ।

Like કરો , Comment કરો, POST ગમે તો Share

Gujarat nu Gaurav By Nandani Vijay

માનવી પોતાના જીવનને જેવું બનાવવું હોય તેવું બનાવી શકે છે.


********************************************
પોતાના જીવનને ડુંગળી જેવું બનાવી શકે અને
ગુલાબ જેવું પણ બનાવી શકે.
ગુલાબનું પ્રત્યેક પડ આપણે ખોલતા રહીએ તો તેની મહેંક આપણને આનંદ આપી જાય.
જ્યારે ડુંગળીના પડને ખોલીએ તો આંખમાં પાણી લાવી દે.
હવે! વિચાર આપણે કરવાનો છે કે
આપણે આપણું જીવન ગુલાબ જેવું બનાવવું છે કે ડુંગળી જેવું?
સારો સંગ કરીશું તો આપણું જીવન ગુલાબ જેવું બનશે,
ખરાબ સંગ કરીશું તો જીવન ડુંગળી જેવું બનશે.
સારા સંતના સમાગમમાં રહેવાથી દિવસે-દિવસે આગળ વધાય છે
અને ખરાબ માણસોના જીવનથી દિવસો આપણા જીવનની પડતી થાય છે

Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay

વિચારોના ચશ્મા


***********
ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઇ દુધપાકની ડોલ હાથમાં લઇને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દુધપાક લઇને થોડો થોડો ગટરમાં નાંખતા હતા. ત્યાંથી પસાર થતી કોઇ વ્યક્તિનું ધ્યાન ગયુ એટલે એ પેલા ભાઇ પાસે પહોંચી ગયા. કેસર ઇલાઇચી વાળા સુકા મેવાથી ભરપુર મસ્ત મજાના દુધપાકને ગંદી ગટરમાં નાંખતા જોઇને એમને આશ્વર્ય થયુ.
દુધપાકને ગટરમાં નાંખી રહેલા પેલા ભાઇને પુછ્યુ , " તમે , કેમ દુધપાકને ગટરમાં નાંખી દો છો ? "
પેલા ભાઇએ બળાપો કાઢતા કહ્યુ , " અરે ભાઇ, શું કરુ ? આજે મારા દાદાના શ્રાધ્ધ નિમિતે કેટલી મહેનતથી આ સરસ મજાનો દુધપાક બનાવ્યો હતો. પણ તેમાં આ બે માંખો પડી છે અને મરી ગઇ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું પણ માંખ બહાર નિકળવાનું નામ જ નથી લેતી."
વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઇ ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ કે ભાઇ આમ જ જો આ મરેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દુધપાકની આખી ડોલ ખાલી થઇ જશે તો પણ માંખો બહાર નહી નિકળે. એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો. દુધપાકની ડોલ નીચે મુકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઇના હાથમાં આપ્યા.
ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોંટી હતી. કપડું લઇને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યુ , " હવે આ ચશ્મા પહેરો ." પેલા ભાઇએ ચશ્મા પહેરીને ડોલમાં જોયુ તો દુધપાક તો ચોખ્ખો હતો. એમાથી મરેલી માંખો જતી રહી હતી.
મિત્રો, આપણા વિચારોરુપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને જે સરસ મજાના દુધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહે.
Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay

જનરલ નોલેજઃ


***********
1. बंगाल के प्रथम ब्रिटिश गवर्नर जनरल- वारेन हेस्टिंग्स

2. स्वतंत्र भारत के प्रथम गवर्नर जनरल- लार्ड माउंट बेटन

3. स्वतंत्र भारत के प्रथम कमांडर इन चीफ- रॉय बुचर

4. प्रथम प्रधानमंत्री- जवाहरलाल नेहरू

5. प्रथम राष्ट्रपति- डॉ. राजेन्द्र प्रसाद

6. फील्ड मार्शल- S.H.F.J. मानेकशा

7. भारत के प्रथम भारतीय गवर्नर जनरल- सी. राजगोपालाचारी

8. प्रथम भारतीय आई.सी.एस. अधिकारी- सत्येन्द्र नाथ टैगोर

9. वायसराय एक्जिक्यूटिव कौंसिल के प्रथम भारतीय सदस्य- एस. पी. सिन्हा

10. इंगलिश चैनल को तैर कर पार करने वाले प्रथम भारतीय- मिहिर सेन

11. इंगलिश चैनल को तैर कर पार करने वाली प्रथम भारतीय महिला- मिस आरती साहा

12. माउंट एवरेस्ट पर चढ़ने वाले प्रथम- तेनजिंग नोरगे

13. बिना ऑक्सीजन के माउंट एवरेस्ट पर चढ़ने वाले प्रथम पुरुष- फू दोरजी

14. माउंट एवरेस्ट पर दो बार चढ़ने वाले पुरुष- न्वाँग गोम्बु

15. नोबेल पुरस्कार प्राप्त प्रथम भारतीय- रवीन्द्र नाथ टैगोर

16. भारतीय राष्ट्रीय कांग्रेस के प्रथम अध्यक्ष- W. C. बनर्जी (व्योमेश चन्‍द्र बनर्जी)

17. प्रथम भारतीय टेस्ट ट्यूब बेबी- दुर्गा (कनुप्रिया अग्रवाल)

18. प्रथम भारतीय टेस्ट ट्यूब बेबी के जन्मदाता वैज्ञानिक- डॉ सुभाष मुखोपाध्याय

19. स्वतंत्र भारत के प्रथम कमांडर इन चीफ- जनरल सर रॉय बुचर

20. स्वतंत्र भारत के प्रथम कमांडर इन चीफ- जनरल के. एम. करिअप्पा , 1949

Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay


 જનરલ નોલેજઃ
***********
1. विश्व मेँ सबसे अधिक बच्चे पैदा करने वाली महिला का नाम रूस की मारिया इसकोवा 42 वर्ष की उम्र मेँ 58 बच्चे (4 बच्चे 3 बार, 3 बच्चे10 बार और 2 बच्चे 8 बार) ।

2. विश्व का सबसे अमीर देश स्विटजरलैंड है।

3. सऊदी अरब मेँ एक भी नदी नही है।

4. विश्व का सबसे दानी आदमी अमेरिका का राकफेलर है जिसने अपने जीवन मेँ सार्वजनिक हित के लिए 75 अरब रुपए दान मेँ दे दिए।

5. सबसे महँगी वस्तु यूरेनियम है।

6. दक्षिण ऑस्ट्रेलिया की मेँ आयार्स नामक पहाडी प्रतिदिन अपना रंग बदलती है।

7. विश्व मेँ रविवार की छुट्टी 1843 से शुरु हुई थी।

8. सारे संसार मेँ कुल मिलाकर 2792 भाषाएँ बोली जाती हैं ।

Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay

LANGUAGES OF THE WORLD


***********************
1. Chinese Mandarin— 1 billion +
2. English — 512 million
3. Hindi — 501 million
4. Spanish — 399 million
5. Russian— 285 million
6. Arabic — 265 million
7. Bengali — 245 million
8. Portuguese— 196 million
9. Malay-Indonesian— 140 million
10. Japanese— 125 million
Like કરો , Comment કરો, POST ગમે તો Share
Gujarat nu Gaurav By Nandani Vijay