visiter

રવિવાર, 25 નવેમ્બર, 2012

વીણેલા મોતી

************************************************
સફળતા માટે આ ૩ કારખાના રાખો,
મગજમાં બરફનું કારખાનું,
જીભમાં ખાંડનું કારખાનું અને હ્રદયમાં પ્રેમનું.


************************************************
કડવું સત્ય
એક ગરીબ પેટ ભરવા માટે સવારે વહેલો ઉઠી ને દોડે છે
અને એક અમીર પેટ ઓછુ કરવા માટે સવારે વહેલો ઉઠી ને દોડે છે

************************************************
કેટલાક લોકો એમની આખી જીંદગી ‘ઇન્ટેલિજન્ટ’ થવા પાછળ ખરચી નાંખે છે.
જયારે અમુક લોકો જન્મથી જ ‘ગુજરાતી’ હોય છે.....!


************************************************
થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
ખુલાસા કરવાથી દુખી થવાય છે,
જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી...
બાકીતો ત્રણ એક્કા માં પણ હારી જવાય…

***********************************************
ક્યારેય એવું ના વિચારો કે તમે કોઈ બીજાના જેવા નથી..!

બીજાને એવું વિચારવા માટે મજબુર કરો કે........

" તેઓ તમારા જેવા નથી”.

આ છે સાચી જીવન જીવવાની કળા."

************************************************
સ્વપ્ન સાચું પડ્યું તો એ છકી ગયા છે,
વાયદા અને વચનો બધું ભૂલી ગયા છે.
ઈશ્વરને પણ ચિંતા છે એ વાતની કે,
મારા બનાવેલા મને બનાવી ગયા છે. "

***********************************************
વિકસેલા સંબંધો ને તમે તોડી ના દેતા,
કામ પડે તો મુખ મોળીના દેતા,
આ ટેવાયી ગયું છે હૃદય તમારી મિત્રતા માં
પણ,
હાથ પકડ્યા પછી અચાનક છોડી ના દેતા....

************************************************
રૂમાલ તો ફક્ત આંસુ લૂછે છે.........
પણ સાચો મિત્ર એ આંસુ નું કારણ લૂછે છે......"

***********************************************
જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;
પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.
ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;
છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.........

***********************************************
લખેલા શબ્દ લીટા મારવા થી ભૂસાતા નથી,
દિલ માં પ્રેમ ના મોજા એમ જ ઉભરાતા નથી,
સબંધો નક્કી થયા હોય છે ઉપર થી જ,
એટલે તો આપને એક બીજા ને ભૂલતા નથી.

**********************************************
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.............................

**********************************************
જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે....................


*********************************************
અભિમાનના આઠ પ્રકાર છેઃ
૧ સત્તાનું અભિમાન,
૨ સંપત્તિનું અભિમાન,
૩ બળનું અભિમાન,
૪ રુપનું અભિમાન,
૫ કૂળનું અભિમાન,
૬ વિદ્વતાનું અભિમાન,
૭ કર્તવ્યનું અભિમાન.
પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો
એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી........!!!!!!


********************************************
ખુશ છુ બીજા ને ખુશ રાખુ છુ

મળે છે જે પણ આનંદ એ બીજા ને આપુ છુ

જાણુ છુ મોલ નથી મારો દુનિયા માં

હુ ખુદ કઈ નથી પણ મિત્રો અણમોલ રાખુ છુ


*********************************************
આજ સુધી કોઈ મેહફીલ માં કેદ થયાં નથી..
.
અમે કદી પણ કોઈને વગોવ્યા નથી,,
.
મજાક મસ્તી તો સ્વભાવ અમારો,,
... .
બાકી અમેય કોઈને નમ્યા નથી...!!!!


********************************************
જો તમને ક્યારેક ભુલી જાઉં તો,સપનામાં આવી યાદ અપાવી જજો,
જો હોય કયારેક ભુલ મારી તો,પ્રેમથી આવી ને સમજાવી જજો,
જો થઇં જાઉં કયારેક ઉદાસ તો,યાદો માં આવી ને હસાવી જજો,
જો થાઉં કયારેક નિષ્ફળ તો,બાજુ માં આવી ટેકો આપી જજો,
જો થઈ જાઉં કયારેક નારાજ તો,હળવુ સ્મિત આપી ને મનાવી જજો,
પણ, દોસ્તો આ FRIEND નો,સાથ કયારેય ના છોડી જજો..........


*********************************************
દરેક સારી ને સાચી વાત
પહેલા મજાક બને છે. પછી તેનો વિરોધ થાય છે. અને છેલ્લે
તેનો સ્વીકાર થાય છે.....

********************************************
જીદ અને જિંદગી બન્ને વચ્ચે શબ્દથી મોટો ફરક નથી…
જીવન માં જિંદગી જીવવા માટે જીદ કરો પણ,
જીદ કરતાં જિંદગી માંથી કશું ખોઈવાય નહિ તેનું ધ્યાન રાખજો.....

********************************************
પામવું અને ખોવું એ જીવન ની રીત છે,
એમાં પણ ખુશ રહેવું તે અનોખી ચીઝ છે,
ખુબ કઠીન હોય છે એવું જીવન જીવવું,
પણ જો જીવી ગયા તો એ તમારી જીત છે....

*******************************************
બીજાને સુધારતાં પહેલાં આપણી જાતને સુધારીએ,
સારી બનાવીએ, જેથી એટલી તો ખાતરી થાય કે
દુનિયામાંથી કમ સે કમ એક બદમાશ ઓછો થયો..!!

********************************************
દુનિયામાં ખુશી એમને નથી મળતી જે પોતાની શરતો પર જીંદગી જીવે છે,
ખુશી એમને મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જીંદગીની શરતો બદલી નાખે છે.

********************************************
સારું છે કે લોકો અમસ્તું જ પુછે છે...કે

'કેમ છો?'

બાકી જો સાચો જવાબ માંગે, તો ઘણો અઘરો સવાલ છે...!!!

********************************************
જે માણસે કદી પોતાને ઓળખવાનો પ્રયત્ન કરેલો હોય છે,
એને અન્યો ને ઓળખતા બહુ વાર નથી લાગતી." લેખક- અજ્ઞાત

********************************************
સંબંધ ભલે થોડા રાખો ,પણ એવા રાખો કે હૈયે હરખ ની હેલી પડે,
મૌત ના મુખ માંથી ઝીંદગી વરસી પડે ,
અને મૃત્યુ બાદ સ્મશાન ની રાખ પણ રડી પડે...!! લેખક- અજ્ઞાત

*******************************************
સંબંધ એ સ્મિત છે .....,
બંધન એ મિત છે ........,
પ્રેમ એ ગીત છે .......,
સ્નેહ એ પ્રિત છે .....,
મિલન એ જીત છે ....
અને જુદાઈ ......?
એ તો જગત ની રીત છે ..........


********************************************
પગ ભીના કર્યા વગર દરીયો પસાર
કરવો 'શક્ય' છે...પણ...
આંખ ભીની કર્યા વગર જીદગી પસાર કરવી 'અશક્ય' છે...!!!!!!!!

*********************************************
તમે તમારી ખામી શોધી શકો તો તમે મહાન છો......
તમે તેને દુર કરી શકો તો વધુ મહાન છો....
પરંતુ બીજાને તમે તેમની ખામી સાથે સ્વીકારો તો તમે સૌથી મહાન છો-
*********************************************

સંખ્યાજ્ઞાન


જનરલ નોલેજ પ્રકરણ -14

651 કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલાભવનની સ્થાપના થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર

652
સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે? Ans: ઝાંઝરકા

653
કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? Ans: કચ્છના રણમાં

654
અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન

655
ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ? Ans: દાહોદ

656
સરદાર પટેલનું સૌથી મોટું મ્યુઝિયમ ગુજરાતમાં કયાં બનાવવામાં આવ્યું છે ? Ans: અમદાવાદ (જૂનું રાજભવન)

657
ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

658
પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા

659
અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી

660
કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં

661
ગુજરાતનું કયું શહેરમક્કાનું પ્રવેશદ્વારગણાતું હતું? Ans: સુરત

662 ‘
જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ - પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે? Ans: અરદેશર ખબરદાર

663
સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો ? Ans: ખેડા સત્યાગ્રહ

664
કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ? Ans: કાન્હડદે પ્રબંધ

665
ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

666
ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? Ans: ઇન્દુમતીબેન શેઠ

667
મહાત્મા ગાંધીજીને અંજલિ આપતુંહરિનો હંસલોકાવ્યનાં સર્જકનું નામ આપો. Ans: બાલમુકુંદ દવે

668
ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ

669
આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું? Ans: કર્ણદેવ સોલંકી

670
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ છે? Ans: મારી હકીકત

671
ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? Ans: પ્રથમ

672
ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ,૯૬,૦૨૪ ચો.કિ.મી.

673
ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? Ans: અમદાવાદ

674
બનાસ નદીનું પ્રાચીન નામ શું છે ? Ans: પર્ણાશા

675
અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ

676
ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? Ans: ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.

677
રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા

678 ‘
કાગવાણીના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ

679
મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી

680
ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: .. ૧૬૦૬

681
સાબરમતી નદી પર બંધાયેલો ધરોઈબંધ કયા તાલુકામાં આવેલો છે ? Ans: સતલાસણા

682
સ્વતંત્રતા બાદ કયા નેતાએ દેશી રાજયોના વિલીનીકરણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી ? Ans: સરદાર વલ્લભભાઈ પટેલ

683
કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક

684
ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ? Ans: ત્રીજા

685
ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યાં હતા? Ans: સયાજીરાવ ગાયકવાડ

686
હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના ભાવિકોને સમાન રીતે આકર્ષતી હસનપીરની પવિત્ર દરગાહ કયાં આવેલી છે? Ans: દેલમાલ

687
આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ

688
ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: વલસાડ

689
કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans: મણીશંકર રત્નજી ભટ્ટ

690
લંડનના આલ્બર્ટ હોલમાં અવિનાશ વ્યાસનું કયું ગીત સાંભળીને ગુજરાતી સાથે અંગ્રેજો પણ નાચી ઉઠ્યા હતા? Ans: ‘તારી વાંકી રે પાઘલડીનું...’

691
કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ

692
ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન

693
કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ? Ans: કાળિયાર

694
નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? Ans: સંત પૂજય શ્રી મોટા

695 ‘
સોરઠ તારાં વહેતાં પાણીના રચયિતાનું નામ આપો. Ans: ઝવેરચંદ મેઘાણી

696
કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત

697
ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? Ans: મહિપતરામ રૂપરામ

698
પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

699
સયાજીરાવ મ્યુઝીયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

700
ગુણવંતરાય આચાર્યની દરિયાઇ સાહસની કઇ પ્રસિદ્ધ નવલકથા છે? Ans: દરિયાલાલ