visiter

મંગળવાર, 20 ઑગસ્ટ, 2013

બંધારણના મહત્વના સુધારાઓ

===>>> બંધારણના મહત્વના સુધારાઓ<<<===

પ્રથમ સુધારો (1951) : મૌલિક અધિકારોમાં સમાનતા , સ્વતંત્રતા , તથા સંપતિનો અધિકાર સમાજના હિતમાં જોડી દીધો . નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ .

બીજો સુધારો (1953) : રાજ્યોને સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું .

સાતમો સધારો (1956) : 14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને રાજ્ય તરીકે માન્ય કર્યા .

આઠમો સુધારો (1960) : અનુસુચિતજાતી અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામો આવ્યો .

દસમો સુધારો (1961) : દાદરા તથા નાગર હવેલી વિસ્તાર ભારતનો બની ગયો .

બારમો સુધારા (1961) : ગોવા , દમન અને દીવ ભારતમાં જોડાયા .

તેરમો સુધારો (1962 ) : નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય બનવાનો સુધારો .

ચોદમો સુધારો (1962 ) : ફાનસના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું .જે અંગે સુધારો કર્યો .

પંદરમો સુધારો (1963) : ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી .

એકવીસમો સુધારો (1967) : બંધારણના આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ .

છવ્વીસ્મો સુધારો (1971 ) : રાજાના સાલીયણા તથા વિશેષ અધિકારો બંધ કરી દીધા .

એક્ત્રીસમો સુધારો (1973 ) :લોકસભાના સભ્યોની સંખ્યા 525 થી વધારીને 545 કરવામાં આવી .

છ્ત્રીશ્મો સુધારો (1975) : આ સુધારાથી સિક્કિમ ભારતનું 22 મું રાજ્ય બન્યું .

સાડાત્રીસ્મો સુધારો (1975 ) : અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો .

બેતાલીસ્મો સુધારો (1976) : આ સુધારાથી બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો . સમાજવાદી અને બિનસાંપ્રદાયિક નવા શબ્દો ઉમેરવામાં આવ્યા . રાજ્ય નીતીનિર્દેશક સિદ્ધોતો પર મહત્વ આપવામાં આવ્યું . મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું . મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી . રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે . રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં એક વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે , તે આ સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યો .

ચુમાંલીસ્મો સુધારો (1978) : મિલકતના અધિકારોને રદ કરવામાં આવ્યા . લોકસભા , વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી 5 વર્ષનો આ સુધારાથી કરવામાં આવ્યો .

સુડતાલીસ્મો સુધારો (1984 ) : નાવમાં પરીશીષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદાઓ ઉમેરવામાં આવ્યા .

બાવનમો સુધારો (1985) : રાજકીય પક્ષમાં પક્ષોન્તર વિરોધી કાયદો લાવવામાં આવ્યો .

ત્રેપન્મો સુધારા (1986) : આ સુધારાથી મિઝોરમ ભારતનું 24 મું રાજ્ય બન્યું .

ચોપન્મો સુધારો (1986) : સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો . ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને રૂ . 10,000 માસિક ; હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને રૂ . 9000 માસિક તથા હાઇકોર્ટના નાયાધીશને રૂ . 8000 માસિક પગાર આ સુધારાથી નક્કી થયો .

સત્તાવનમો સુધારો (1987) : આ સુધારાથી ગોવા ભારતનું પચ્ચીસમું રાજ્ય બન્યું .

એકસઠમો સુધારો ( 1989) : આ સુધારા દ્વારા ચૂંટણી માટે મતદાતા માટે 21 વર્ષની ઉમરને બદલે 18 વર્ષની કરવામાં આવી . માતાધીકારનો હક 18 વર્ષે આપવામાં આવે છે .

બાસઠમો સુધારો (1989) : લોકસભા અને વિધાનસભાઓમાં અનુસુચિતજાતિ અને અનુંસુચીત જનજાતિ બેઠકોની અનામતની મુદત 10 વર્ષે વધારાઈ . જે 2000 સુધી અમલમાં રહેશે .

છાસઠમો સુધારો (1990) : બંધારણના નાવમાં પરીશિષ્ટમાં 55 નવા જમીન સુધારણાના કાયદા ઉમેરવામાં આવ્યા .

ઓગણસીત્તેરમો સુધારો (1991) : કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું . તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવશે , તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી .

સીતેર્મો સુધારો (1962) : પોંડીચેરી તથા દિલ્હી વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઇ શકે તેવો અધિકાર આપવામાં આવ્યો .

એકોતેરમાં સુધારો (1992) : બંધારણના આઠમા પરીશિષ્ટમાં નેપાળી , મણિપુરી તથા કોકણી ભાષાઓ ઉમેરવામાં આવી .

તોતેર્મો સુધારો : (1992) : ગ્રામપંચાયતો , નગરપાલિકાઓ , તથા મહાનગરપાલિકાઓમાં 33 % બેઠકો મહિલા માટે ઉમેરવામાં આવી .

ચુમોતેરમાં સુધારો (1992) : પંચાયતીરાજ સબંધી સુધારો .

પન્ચોતેર્મો સુધારો (2002) : ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝગડાનો ઉકેલ માટે અનુંછેદ 323 (b) ના ખંડ (૨) માં નવો ઉપખંડ જોડી ત્રિબ્યુંનલ ની રચના કરવામાં આવી અને ભાડુઆતો સબંધી કેસો આ ત્રિબ્યુંનલમાં ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી .

પનચ્યાસીમો સુધારો (2002) : બંધારણીય અનુંછેદ 16 (4 A ) નો સંશોધિત 85 મો બંધારણીય સુધારો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો . આ સુધારા અનુસાર અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિના સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં પણ બેકલોગનો લાભ આપવામાં આવ્યો .

છ્યાસીમો સુધારો (2002) : આ સુધારા દ્વારા પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું . અને રાજ્ય સરકાર માટે 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યુ . અને આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે પણ મુંકવામાં આવ્યો . આમ મૂળભૂત ફરજો 10 માંથી વધી ગઈ 11 થઇ .

સીત્યાસીમો સુધારો (૨૦૦૩) : આ સુધારા દ્વારા સર્વિસ ટેક્સ ઉઘરાવવાની અને આ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેચવાની જોગવાઈ અનુચ્છેદ 268 A ઉમેરીને કરવામાં આવી .

એકાનુંમો સુધારો (૨૦૦૩) : આ બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટાને સંપૂર્ણપણે પ્રતીબંધિત કરવામાં આવ્યો . આ પહેલા પક્ષના 1/3 સભ્યો એકસાથે બીજા પક્ષમાં જાય તો તેણે કાયદેસર બનવાની જોગવાઈ પક્ષ પલટા વિરોધી કાનૂનમાં હતી . પરંતુ આ સુધારા દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી .

92 મો સુધારા (2003) : બોડો , ડોગરી , મૈથાલી અને સંથાલી ભાષાઓનો આઠમી અનુસૂચિમાં સમાવેશ .

93 મો સુધારા (2005) : ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે 27 % અનામત જોગવાઈ .

94 મો સુધારો (2006) : ઝારખંડનું અલગ રાજ્ય રચાતા બિહારમાં અનુસુચિત જાનજાતીની વસતી ઘટતી જતાં S T ખાસ મંત્રીની જોગવાઈ બિહારમાંથી રદ કરી ઝારખંડ અને છ્ત્તીશઘઢ માટે કરવામાં આવી .

95મો સુધારો (2009) : S C અને S T માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ ( એટલે કે 25 જાન્યુ , 2020 સુધી )

96 મો સુધારો (2011) : ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને ઓડિશા કરવામાં આવ્યું .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો