visiter

રવિવાર, 11 નવેમ્બર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -12

551 ગુજરાત સલ્તનતના કયા બાદશાહનેમુસલમાનોના સિદ્ધરાજઅનેઅકબર જેવોગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો

552
લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ? Ans: ભાવનગર

553
વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો સાત નદીના સંગમસ્થાન પર યોજાય છે. ખારી, મેશ્વો, શેઢી, માઝમ, વાત્રક, હાથમતી ઉપરાંતની સાતમી નદી કઇ? Ans: સાબરમતી

554
મહાદેવભાઈ દેસાઇની સમાધિ કયાં આવેલી છે અને કયા નામે ઓળખાય છે? Ans: પૂના ખાતે, ‘ઓમ સમાધિ

555
૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? Ans: રણજિત વિલાસ પેલેસ

556
અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? Ans: કવિ શામળ

557
ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા

558
ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? Ans: સુરત

559
ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો. Ans: ગૂર્જરી ભૂ

560
ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ? Ans: કસ્તુરભાઇ લાલભાઇ

561
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? Ans: ચોરવાડ

562
પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? Ans: મેડમ ભિખાઈજી કામા

563
નાસિકની ગુફામાં વસિષ્ઠના પુત્ર પુલુમાવીના શિલાલેખમાં સુરટ્ટ નામ પરથી ગુજરાતના કયા પ્રદેશનો ઉલ્લેખ થયો હોવાનું ગણાય છે ? Ans: સૌરાષ્ટ્ર

564
ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા

565
નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી

566
જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? Ans: પનાલા ડિપોઝિટ

567
હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ

568
ગુજરાતી ભાષામાં આશરે કેટલા શબ્દો છે ? Ans: આશરે પોણા ત્રણ લાખ

569 ‘
જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ - પંકિત કયા કવિની છે? Ans: કવિ કલાપી

570
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? Ans: ત્રણ

571
ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર

572
ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ? Ans: હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ

573 ‘
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - પંકિત કયા કવિની છે? Ans: કવિ નર્મદ

574
અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ

575
દેના બેંકની સ્થાપના કોણે કરી હતી? Ans: દેવકરણ નાનજી

576
ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? Ans: રાજકોટ

577
નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? Ans: સરદાર પટેલ એવોર્ડ (જુનિયર)

578
ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

579
પોરબંદરમાં આર્ય કન્યા વિદ્યાલયના સ્થાપક ઉદ્યોગપતિ કોણ હતા? Ans: નાનજી કાલિદાસ

580 ‘
ભાષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો

581 ‘
હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી

582
અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ

583
ગુજરાતમાં સૌપ્રથમ ટપાલસેવા કયાં અને કયારે શરૂ થઇ? Ans: અમદાવાદ - .. ૧૮૩૮

584
જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? Ans: માંડલી

585
જેસલ - તોરલની સમાધિ કયાં આવેલી છે? Ans: અંજાર

586
ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ

587 ‘
જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી રાખે ભાઈ’ - પદના રચનાકાર કોણ છે ? Ans: કવિ ભોજા ભગત

588 ‘
દર્શકઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? Ans: મનુભાઇ રાજારામ પંચોળી

589
કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? Ans: મહંમદ બેગડો

590
સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન

591
જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? Ans: મહા ગંગા અભયારણ્ય

592
કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા

593
ભારત રત્નથી સન્માનિત અને બે વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા ? Ans: ગુલઝારીલાલ નંદા

594
ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી? Ans: કોચરબ આશ્રમ

595
કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત

596
ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની

597
નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? Ans: કવિ વડર્ઝવર્થ

598
ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ

599
કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? Ans: ચાર

600
ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું ? Ans: રંગપુર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો