visiter

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2012

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
              






                            પૂરું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી. તેનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯પ૦માં એક નિમ્ન મધ્યમવર્ગીય પરિવારમાં થયો. પરિવારને મદદ કરવા માટે તેલના ખાલી ટીન મીલમાં જમા કરાવતા અને તેને દરેક ટીન પર પાંચ પૈસા મળતા.

                  નરેન્દ્રભાઈના બાળપણના મિત્રો અને પડોશીઓના કહેવા મુજબ નરેન્દ્રભાઈ નાનપણથી બહુ બહાદુર અને પ્રેમાળ હતા. શિસ્તના આગ્રહી તો હતા જ, પરંતું સાથે સાથે ટીખળી અને મસ્તીખોર પણ હતા.

                  તેમના બાળપણના અનુભવો તાજા કરવા દિવ્યભાસ્કર દ્વારા તેમાના મિત્રો અને પડોશીઓની ખાસ મુલાકાત કરવામાં આવી. જેમાં તેમના બાળપણની કેટલીક ખાટીમીઠી વાતો અને રસપ્રદ અનુભવો જોવા મળ્યા છે.

જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
             આ તસવીર નરેન્દ્રભાઈની પહેલી તસવીર છે. નરેન્દ્રભાઈ આઠ વર્ષના હતા ત્યારે તેમના મોટાભાઈ સોમાભાઈ પાટણમાં પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા હતા. તે સમયે નરેન્દ્રભાઈ પણ એકવાર તેમની સાથે પાટણ ગયા હતા. ત્યાં ફોટો સ્ટુડિયો જોતાં નરેન્દ્રભાઈને પણ તેમની તસવીર પડાવવાનુ મન થઈ ગયું અને તેમણે સોમાભાઈને કહ્યું. ત્યારે મોટાભાઈને નરેન્દ્રભાઈની આ તસવીર પડાવી હતી.


મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
જ્યારે તેઓ એક મગરનું બચ્ચું લઈને આવ્યા :

ભરતભાઇ મોદી:

             - નરેન્દ્રભાઈ બાળપણથી જ સાહસિક બહુ હતા. તેઓ દરરોજ ૪૦ એકરના વિશાળ શર્મિષ્ઠા તળાવના કૃષ્ણા આરાથી નાહવા પડતા. આ તળાવની ઊંડાઈ પણ બહું છે, તેમાં ડુબવા વાળા આજ સુધી ભાગ્યે જ બચીને પાછા આવે છે. તેથી આજે પણ લોકો તેમાં નાહવા જતાં ડરે છે. તે સમયે તો તળાવમાં મગર પણ બહુ હતા, તોપણ મગર વચ્ચે તેઓ ડર્યા વગર જતા અને તરતા પણ. તેમાં એક વાર તો મગરનું બચ્ચુ ઘરે પણ લઈ આવ્યા હતા, જેને જોઇને બધાના હોશ ઉડી ગયા હતા.
            
જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
                મોદીના મિત્ર ભરતભાઈ જણાવે છે કે બાળપણમાં મોદી તળાવમાંથી એક મગરનું બચ્ચું લઈને આવ્યા. જે જોઇને તેના માતાએ તેમને કહ્યું કે તને કોઇ ઉપાડીને લઇ જાય તો તને કેવું થાય ત્યારબાદ મોદી તરત જ તળાવમાં એ બચ્ચું છોડીને આવ્યા હતા.
               વધુમાં ઉમેરતાં ભરતભાઈએ કહ્યું, "વિશાળ શર્મિષ્ઠા તળાવમાં બરાબર મધમાં એક સતરડી જ એવી જગ્યા છે જ્યાંથી વડનગરની લાઈબ્રેરીના ટાવરની ઘડીયાળ દેખાય અને નરેન્દ્રભાઈ તે ઘડીયાળ દેખાય પછી જ પાછા વળતા. આટલું તરતાં લગભગ ૧ કલાક લાગે છે."

જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
                ત્યારબાદ તેમના પિતાને જ્યારે રેલ્વે સ્ટેશન પર ચાની કીટલી હતી ત્યારે નરેન્દ્ર મોદી ચા વેચવા પણ જતા હતા.
               નરેન્દ્રભાઈ વિશે પોતાની જૂની યાદો તાજી કરતાં લક્ષ્મીબેન પટેલે કહ્યું, "રેલ્વેસ્ટેશન પર ટ્રેન આવે ત્યારે નરેન્દ્રભાઈને ઠિંગડાવાળી ચડ્ડીમાં પાંચ-પાંચ પૈસામાં પાણીના ગ્લાસ વેંચતા તો મેં પણ જોયા છે."
જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
હરગોવનભાઈ પટેલ કહે છે કે, તેમનો બીજો એક અનુભવ જણાવતાં હરગોવનભાઈએ કહ્યું, "મારુ ગામ સબલપુર વડનગરથી થોડુ દૂર હતું. તે સમયે સબલપુરમાં છાસ મફત મળતી એટલે મોદી ઠેક સબલપુર ચાલીને છાસ લેવા આવતા. તેમાં તો મોદીના ચપ્પલ પણ ઘસાઈ ગયા હતા, તેવું નરેન્દ્રભાઈ કહેતા."

જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
                       તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું, "તે સમયે વડનગમાં મહાલક્ષ્મી ઓઇલ કંપની હતી અને મોદી તે સમયે ત્યાં પાંચ પૈસામાં તેલના ડબા ઉપાડતા." અત્યારે તો તે થોડા સમયથી બંધ થઈ ગઈ છે.
જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
               તેમની શાખાટોળીના જ બીજા એક મિત્ર દશરથભાઈ જણાવે છે કે, "એસએસસી બાદ કૉલેજમાં હું અને નરેન્દ્રભાઈ થોડો સમય સાથે જતા, પછી તો તે અમદાવાદ જતા રહ્યા હતા. તે સમય દરમિયાન અમે વડનગરથી વિસનગર એમ.એન. કૉલેજમાં ચાલતા જતા અને તે સમયે અમે નરેન્દ્રભાઈ સાથે રસ્તામાં જાંબુના જાડ પર ચડી ઘણા જાંબુ પાડતા અને મસ્તી પણ કરતા."
હેટ્રીક મારનાર મોદીની ભાગ્યેજ જોવા મળતી રસપ્રદ તસવીરો 
                                     આ એજ જગ્યા છે જ્યાં એ લોકો નાટકની પ્રેક્ટિસ કરતા હતા:

વધુમાં ઉમેરતાં દશરથભાઈએ કહ્યું, "તે સમયે અમે બધાએ 'પગરખાનો પાળીયો' નાટક કૉલેજમાં ભજવ્યું હતું. તેમાં નરેન્દ્રભાઈ પિતાના પાત્રમાં હતા. તે નાટકની પ્રેક્ટિસ મારા ઘરના આ ઓરડામાં જ થતી. તે સમયે મહેન્દ્ર દરજી નરેન્દ્રભાઈને બહુ ચિડવતા."
હેટ્રીક મારનાર મોદીની ભાગ્યેજ જોવા મળતી રસપ્રદ તસવીરો
 નરેન્દ્રભાઈએ શાળાસમયમાં 'જોગીદાસ ખુમાણ' નામના નાટકમાં 'વજેસિંહ ઠાકોર'નો રોલ ભજવ્યો હતો.

નરેન્દ્રભાઈના લંગોટીયા મિત્ર શામળદાસ મોદી:
 નરેન્દ્રભાઈના બાળપણના ખૂબ જ અંગત મિત્ર શામળદાસ માધવલાલ મોદીએ કહ્યું, "નરેન્દ્રભાઈ મને હંમેશાં કહેતા કે, એક દિવસ હું કૃષ્ણ બની અને તું સુદામા બનીશ. તે સમયે નરેન્દ્રભાઈને શોધવા હોય તો, બે જ જગ્યા નક્કી હતી, એક શર્મિષ્ઠા તળાવ અને બીજુ અમારા ગામનું ભોગીલાલ ચંદુભાઈ વિદ્યાવર્થક પુસ્તકાલય."
                         ૧૯૬૮-૬૯માં તેમણે અખીલ ભારતિય વિદ્યાર્થી પરિષદનો એક કાર્યક્રમ યોજ્યો હતો. એ કાર્યક્રમ વડનગરની વિષાનગરની વાડીમાં યોજ્યો હતો. તેમાં નરેન્દ્રભાઈએ નેતાગીરી સંભાળી હતી. સંઘઠનાત્મક ગુણ તો તેમનામાં બાળપણથી જ હતો.
મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
              
                     1969માં નરેન્દ્ર મોદીના મોટાભાઈ તેમને અમદાવાદ ભણવા લઈ ગયાં હતાં.
ત્યાં તેમના ભાઈની ચાની કીટલી હતી અને ત્યાં નરેન્દ્ર મોદી ચા બનાવતા અને વેંચતા પણ હતા.
ત્યાં તેમના ભાઈ સાવ નાની ખોલીમાં રહેતા હોવાથી રાત્રે સૂવાની પણ જગ્યા નહોતી.
તેથી તેઓ સંઘના કાર્યાલયમાં સૂવા જતાં અને ત્યાં જ તેમની મુલાકાત લક્ષ્મણરાવ ઇનામદાસ
(વકીલ સાહેબ) સાથે થઈ હતી. વકીલ સાહેબની રોજીંદી મુલાકાતથી જ તેઓ સંઘના વધું
પ્રભાવમાં આવ્યા અને સંઘમાં પ્રવેશ્યા. વકીલસાહેબ ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક હતાં. 
જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
સાધુ થવા માટે સંસાર પણ છોડી દીધો હતો :

              મોદી એક સમયે સાધુ બનવા માંગતા હતા. બે વર્ષ તેઓ હિ‌માલયની ગોદમાં રહ્યા. તેઓ રામકૃષ્ણ આશ્રમમાં પણ રહ્યા. અચાનક એક દિવસ તેઓ આ વિચાર છોડીને ઘરે પરત ફર્યા. અમદાવાદમાં મોદીને ઘર ચલાવવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઓફિસની બહાર ચાની લારી ખોલવી પડી હતી. અહીંથી જ શાખામાંથી પરત ફરતા સંઘના કાર્યકર્તાઓ સાથેની મુલાકાતે તેના વિચારો બદલ્યા. તે દુકાન બંધ કરી અને શાખામાં જોડાઈ ગયા.



જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
                      
                            
૧૯૯પમાં ભાજપે મોદીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવી દીધા અને
તેને પાંચ રાજ્યોની જવાબદારી સોંપી.
૨૦૦૧માં કેશુભાઇની સત્તા બાદ ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા.

હેટ્રીક મારનાર મોદીની ભાગ્યેજ જોવા મળતી રસપ્રદ તસવીરો
1998માં વડનગરમાં શિશુમંદિરના ખાતમુહુર્તમાં નરેન્દ્રભાઈએ પહેલી વાર જાહેરમાં વડનગરમાં 
પગ મૂક્યો હતો. આ તસવીર તે સમયની છે.




જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
ડૉ. વસંતભાઈ પરીખે તે સમયે 'ધરોઇ લાવો, ઉત્તર ગુજરાત બચાવો' અભિયાન ચલાવ્યું હતું. 
તેઓ તે સમયે ધારાસભ્ય હતા. તે સમયના યુવા કાર્યકરોમાં નરેન્દ્રભાઈ પણ હતા. 
તેમણે યુવાટીમની આગેવાની લીધી હતી.

-  વસંતભાઈ પ્રખર સમાજસેવક હતા. નરેન્દ્રભાઈએ સૌપ્રથમવાર અમદાવાદ, વડોદરા વટાવ્યું તો,
તે પણ વસંતભાઈ સાથે જ.

હેટ્રીક મારનાર મોદીની ભાગ્યેજ જોવા મળતી રસપ્રદ તસવીરો

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
ટેકનોસેવિક મોદી :

ગુગલ + હેંગઆઉટ પર આવનારા પ્રથમ રાજકીય નેતા

૪૦ લાખ દર્શકો હેંગઆઉટ સેશન વખતે ઓનલાઇન અને ટીવી પર

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
ફેશન:

મોદી આગવી સ્ટાઇલથી કુર્તા- પાયજામા ઉપરાંત વેસ્ટર્ન આઉટફીટ પણ પહેરે છે, ટ્રિમ દાઢી રાખે છે

૩ડી અવતાર ટેક્નિકથી પ્રચારમાં સૌથી આગળ નેતા

૧૦૦થી વધુ સભાઓ આ ૩ડીના માધ્યમ દ્વારા સંબોધી

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
... પણ વિવાદો ચાલતા રહેશે :

ગોધરાના તોફાનો મામલે મોદી સરકારના મંત્રીઓ પર કાર્યવાહી ચાલુ છે જ્યારે મોદીને હજુ પણ અમેરિકાના વિઝાનો ઈંતજાર છે.

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
પરિણીત કે અપરિણીત :

આ સવાલ ઉઠતો રહ્યો છે અને ચર્ચાતો રહેશે.

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
આપણે પાછળ જોવાની જરૂર નથી, આગળ જોવાની જરૂરીયાત છે,આપણે અંનત ઉર્જા‍ની જરૂર છે તેમજ અંનત સાહસ અને ધૈર્યની જરૂર છે. - નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ગુજરાત

















4 ટિપ્પણીઓ: