visiter

રવિવાર, 16 ડિસેમ્બર, 2012

મોરલી કે રાધા ?

અર્જુન પુછે બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા ?
જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા.

મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે.
મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે.

મોરલી તો મારી સાથી છે ને રાધા મારી રાની છે.
છાયો છે મોરલી ને પડછાયો છે રાધા.

મોરલી મારો હક છે તો રાધા મારો અધિકાર છે
જેમ મોરલી વિનાનો કૃષ્ણ અધુરો
તેમ રાધા વિનાનો શ્યામ અધુરો,

એટલે મોરલી કરતા મને રાધા વધારે વહાલી છે,

કારણ કે મોરલી હું છું એટલે તેને તરછોડીસ તો દુખ મને જ થશે
પરંતુ રાધા મારો પ્રેમ છે એટલે તેને તરછોડીસ તો દુનિયા આખી ને દુખ લાગશે

તેથી ગોકુળ મુક્યા પછી મેં મોરલી નથી વગાડી
કારણ કે પછી મને રાધા ક્યાંય મળી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો