visiter

શનિવાર, 12 જાન્યુઆરી, 2013

જનરલ નોલેજ પ્રકરણ -17


801 ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ

802
ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? Ans: જામનગર

803
ગુજરાતનું રાજયપક્ષી કયું છે? Ans: સુરખાબ

804
પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ

805
કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ? Ans: કવિ ધીરો

806
.. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી.

807
ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

808
ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.

809
.. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ

810
ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ? Ans: પેડા

811
ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ? Ans: ત્રીજા ભાગનો વિસ્તાર

812 ‘
જયભિખ્ખુ પુરસ્કારગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

813
ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? Ans: ૧૫૦ વર્ષ

814
ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? Ans: ગિરનાર

815
ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? Ans: બળવંતરાય મહેતા

816
પુરાણોમાં ગુજરાતની કઈ નદીનેગંગાનામ આપવામાં આવેલું છે ? Ans: હિરણ્યા

817
કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા

818
નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ

819 ‘
ગુજરાતી વર્નાકયુલર સોસાયટીઆજે કયા નામે ઓળખાય છે? Ans: ગુજરાત વિદ્યાસભા

820
પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? Ans: માનવીની ભવાઇ

821
કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? Ans: જીતેન્દ્ર જટાશંકર રાવલ

822
હિન્દી ચલચિત્રોમાંમાની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામ જણાવો. Ans: નિરૂપા રોય

823
કચ્છ-ભદ્રેશ્વરના કયા જાણીતા વેપારીએ દુષ્કાળ દરમિયાન અનાજ-પૈસા અઢળક મદદ કરીને દાનવીરનું બિરુદ મેળવ્યું હતું? Ans: શેઠ જગડૂશા

824
ભારતીય વામનકાય છછૂંદર ગુજરાતના કયા વિસ્તારમાં વસે છે? Ans: કચ્છનો રણ વિસ્તાર

825
કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? Ans: રાજયરંગ

826
ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ

827
ગુજરાતમાં સૌપ્રથમ કઇ યુનિવર્સિટી સ્થાપના થઇ હતી? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

828
દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ

829
.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? Ans: જુલાઇ, ૧૯૫૦

830 ‘
દર્શકની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? Ans: ઝેર તો પીધાં છે જાણી જાણી

831
અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ

832
સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી ? Ans: રામાનંદ સ્વામી

833 ‘
જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ? Ans: ભૂમાનંદ સ્વામી

834
ગુજરાતમાં સૌપ્રથમ સુતરઉ કાપડની મીલની સ્થાપના કોણે કરી? Ans: રણછોડલાલ છોટાલાલ

835 ‘
નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ - વિધાન કોનું છે? Ans: બળવંતરાય . ઠાકોર

836
આર્ય સમાજની સ્થાપના કોણે કરી? Ans: દયાનંદ સરસ્વતી

837
વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ

838
ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? Ans: ૧૭૫થી ૨૦૦ વખત

839 ‘
દ્વિરેફઊપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. Ans: રામનારાયણ વિ. પાઠક

840
ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? Ans: હરસિદ્ધભાઇ દિવેટિયા

841
વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા

842
ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તકપક્ષીજગતકોણે લખ્યું છે? Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

843
અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ? Ans: .. ૧૯૬૫

844 ‘
માણભટ્ટવગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ

845
ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી

846
ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક

847 ‘
મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ

848
વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે? Ans: સાત

849
ભાવનગર રાજય તરફથી કયા કવિનેરાજકવિનું બિરુદ અપાયું હતું? Ans: કવિ દલપતરામ

850
ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો