visiter

મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

નેતાજી સુભાષચંદ્ર બોઝના રહસ્યમય મોત પર થયો ખુલાસો

કોલકાતા 29, જાન્યુઆરી

નેતાજી સુભાષચંદ્ર બોઝના રહસ્યમય મૃત્યુ પર એક બીજો નવો ખુલાસો કરતાં રશિયામાં રામકૃષ્ણ મિશનના પ્રમુખ મહંતે કહ્યું કે નેતાજીની મોત વિમાન દુર્ઘટનામાં નહી પરંતુ રશિયાની એક જેલમાં થયું હતું.

રશિયામાં ગયા બે દશકથી રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ રહેલ જ્યોતિરાનંદે પોતાની હાલમાં જ યોજેલ અસમ યાત્રા સમયે એક ટેલિવિઝન સાક્ષાત્કારમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત સરકારની એ વાત ખોટી છે કે નેતાજી 18 ઓગસ્ટ 1945માં તાઈવાન તાઈહોકુ વિમાન મથકે દુર્ઘટનામાં મરી ગયા હતા. 

તેમમે કહ્યું કે સચ્ચાઈ એ છે કે તેમને રશિયનોએ પકડી લીધા હતા અને ઓમસ્કની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા જ્યાં ઘણા સમય બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઓમસ્ક રશિયાના સાઈબેરિયા વિસ્તારનું એક નાનું શહેર છે. તેમણે કહ્યું કે આ વાતની પૂરી સંભાવના છે કે નેતાજીએ એજ જેલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હશે.

મહંતે કેટલાક દસ્તાવેજો અને રશિયામાં ભારતના તત્કાલિન રાજદૂત વિજય લક્ષ્મી પંડિતના નિવેદનના હવાલે કહ્યું કે જ્યારે પંડિતને નેતાજીના ઓમસ્ક જેલમાં હોવાના સમાચાર મળ્યાં તો તે તેમને મલવા ત્યાં ગયા હતા પરંતુ રશિયાના અધીકારિઓએ તેમને નેતાજીને મળવા દીધા ન હતા.

મહંત જ્યોતિરાનંદના કહ્યાં મુજબ પંડિત આ બધું જોઈ ઘણા પરેશાન થયા હતા અને તાત્કાલીક તેમમે દિલ્હી પહોંચી આ બાબતની જાણકારી કોંગ્રેસના તત્કાલીન મોટા નેતાઓને આપી હતી. પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો