visiter

શનિવાર, 20 ઑક્ટોબર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -5

201 ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯

202 ‘
ઠોઠ નિશાળિયોકોનું ઉપનામ છે? Ans: બકુલ ત્રિપાઠી

203
સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી

204 ‘
ટૂંકી વાર્તા એટલે તણખો વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી

205
કવિ નર્મદનેઆજીવન યોદ્ધોકહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ

206
મધ્યકાલીન ગુજરાતી સાહિયમાંઆખ્યાન શિરોમણિકોણ ગણાય છે ? Ans: પ્રેમાનંદ

207
ભૌગોલિક દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે ? Ans: દ્વીપકલ્પીય ગુજરાત

208
સિદ્ધપુરનાં કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? Ans: બિંદુ સરોવર

209
ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

210
ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. Ans: સફારી - નગેન્દ્ર વિજય

211
ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ

212
ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ? Ans: ઝવેરચંદ મેઘાણી

213 ‘
કાન્હડદે પ્રબંધનો મુખ્ય રસ કયો છે? Ans: વીર રસ

214
કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? Ans: બનાસકાંઠા

215
દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થસ્થળ કયું છે ? Ans: દેલમાલ

216
પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના

217
સ્થાપત્યનો ઉત્તમ નમૂનો એવો અમદાવાદનો ભદ્રનો કિલ્લો બાંધવામાં કેટલા વર્ષ લાગ્યા હતા? Ans: વર્ષ

218
ગુજરાતી સાહિત્યમાંભવાઈસંગ્રહનામનો ગ્રંથ કોણે સંપાદિત કર્યો છે ? Ans: મહિપતરામ નીલકંઠ

219
કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ? Ans: તાપી

220
ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે? Ans: પાટણ

221 ‘
જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ - પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે? Ans: અરદેશર ખબરદાર

222
ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? Ans: છુછાપુરા

223
ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર

224
ગુજરાતની સૌપ્રથમ લૉ યુનિવર્સીટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

225
ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી? Ans: અમદાવાદ - ૧૯૬૪

226
સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી

227 ‘
મૂછાળી માનામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો. Ans: ગિજુભાઇ બધેકા

228
કયું સ્થાપત્યઅમદાવાદનું રત્નતરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ

229 ‘
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ - જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ? Ans: હરિન્દ્ર દવે

230
પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન

231
સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી

232
ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? Ans: વિશાલા હોટલ-અમદાવાદ

233
પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ? Ans: સુરત - .. ૧૮૩૬

234
અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર

235
ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? Ans: કવિ કાન્ત

236
આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? Ans: કાંતિ મડીયા

237
ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા

238
કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: .. પૂર્વે ૧૯૦૦ આસપાસ

239
દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? Ans: જુગતરામ દવે

240
હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો. Ans: નગર આયોજન અને ગટર વ્યવસ્થા

241
અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ

242
કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે? Ans: ધામણકા

243
મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ? Ans: શેત્રુંજી

244
ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી

245
ભરવાડ સ્ત્રી-પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય કયું? Ans: હુડા

246
ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ

247
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર

248
સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય

249
કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ

250
પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? Ans: માનવીની ભવાઇ

1 ટિપ્પણી: