visiter

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

ફેસબુકના આ રહસ્યની આજદિન સુધી કોઈને નહોતી ખબર!



ફેસબુકનો નશો આજે દરેક યુવાનો પર ચઢેલો જોવા મળે છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પોતાનું મંતવ્ય આપવું કે ચર્ચા કરવા માટે લોકો એવી રીતે તૈયાર થઈ જતા હોય છે જેમ ભોજન કે સેક્સ માટે તૈયાર હોય.

હાર્વડ યુનિવર્સિટીની એક નવી શોધમાં આ વાત સામે આવી કે ફેસબુક પર પોતાની અને અન્ય વૉલ પર કંઈક લખવાથી લોકોને ખુશીનો અનુભવ થતો હોય છે. જ્યારે પણ કોઈ બાબત પર પોતે મંતવ્ય આપે અને તેને લાઈક કરનાર કોઈ મળી જાય તો પછી તો પૂછવું જ શું. આવું કરવાથી તેમના મગજને એવું અનુભવાય છે જાણે કોઈ શાબાશી ન મળી હોય. આનાથી વધારે તો હાર્વડ યુનિવર્સિટીની એક શોધમાં સેક્સ કરવાથી અથવા ભોજન કરવાથી જે પ્રકારે આનંદ આતો હોય તેવી તૃપ્તિ મળતી હોય છે.

આ શોધ બે ન્યૂરોસાઈન્ટિસ્ટે કરી છે. શોધમાં કહેવાયું છે કે જ્યારે લોકો પોતાના વિશે કાંઈક લખતા હોય ત્યારે મગજમાં એક હલનચલન થતું હોય છે અને ડોપામીનનામ નામનું રસાયણ સક્રિય થઈ જતું હોય. છે આ રસાયણ આનંદની લાગણી અથવા શાબાશી મળવાથી આશા રાખીને બેઠા હોય તેની સાથે દેખવામાં આવે છે.

આ શોધ કરનાર બે સંસોધકોનું કહેવું છે કે મોટાભાગે લોકો કોઈ વાત કરતા હોય ત્યારે તેની વાતનો 30થી 40 ટકા હિસ્સો એવું જણાવે છે કે, તેમનું આ વિષય પર શું મંતવ્ય છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાત કરતી વેળા આ હિસ્સો 80 ટકા જેટલો થઈ જતો હોય છે. આનાથી તેમને સંતોષનો અનુભવ થતો હોય છે. જો કે, રિપોર્ટમાં સીધી રીતે ફેસબુકનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

પરંતુ આ રિપોટ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા પર આધારિત છે. શોધમાં કહેવાયું છે કે આ માધ્યમ માનવને પોતાના મનની વાતનો પ્રચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પોતાના વિચારો વ્યકત કરવાનો અવસર એવી રીતે સમજવામાં આવે છે જેમ કોઈ ઈનામ મળી રહ્યું હોય. જો કે માનવ અને તેની પ્રજાતિના અન્ય પ્રાણીઓની આ ખાસીયત રહી છે કે, તે ઈનામ લેવા માટે દૂર પણ જઈ શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો